________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
ધર્મસાધનાનો પ્રસાર-પ્રચાર કરી રહ્યા છે અને વિધિ-વિધાન કરવા માટે બહુમૂલ્ય માર્ગદર્શન આપી રહ્યા છે.
ગુજરાતના ત્રિપુટી બંધુઓનાં સ્તવનો અને પ્રવચનો વિદેશોમાં વસેલા જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય બન્યાં છે. સાથે જ અન્ય જૈન વિદ્વાનો પણ સમયે સમયે જઈને વ્યાખ્યાન આપીને ધર્મજિજ્ઞાસા તૃપ્ત કરી રહ્યા છે. એમાં મુખ્ય છે હુકમચંદજી ભારિત્સ, કુમારપાળ દેસાઈ, વીરાયતનનાં સાધ્વી શિલાપીજી, તેરાપંથનાં સમણીઓ વગેરે. મને પણ “જૈના'ના કન્વેન્શનમાં છેલ્લાં બાર વર્ષથી નિયમિત અમેરિકાના વિભિન્ન ભાગોમાં જૈન સમાજને મળવાનો, એની સાથે રહેવાનો અને એમની સાથે વ્યાપક સંદર્ભમાં જૈન ધર્મની વાતો કરવાનો અવસર મળી રહ્યો છે. નવી પેઢીનાં યુવક-યુવતીઓ સાથે વાતચીત અને વિચારવિમર્શ મારા માટે અત્યંત રોચક અને પ્રેરક રહ્યાં છે.
શ્રીમદ્ રાજચંદ્રના જન્મશતાબ્દી મહોત્સવના સમયથી વિદેશોમાં ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોનો સુવ્યવસ્થિત રૂપથી પ્રચાર-પ્રસાર થઈ ગયો છે. આ સંદર્ભમાં અમદાવાદ (ગુજરાત)ના કોબા વિસ્તારમાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, સત્સંગ, સત્સાહિત્યનું પ્રકાશન તથા સાધનાના ક્ષેત્રમાં ગુરુદેવ આત્માનંદજીના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે.
આજના યુગની માંગ છે કે પૂર્વ અને પશ્ચિમ બે વિભિન્ન સંસ્કારોના મિશ્રણમાં ઊછરી રહેલી નવી પેઢીને સ્વાભાવિક જિજ્ઞાસા અને કેટલીય વાર મુશ્કેલ દેખાતા પ્રશ્નોના ઉત્તર આપણે શાંતિ, સૂઝબૂઝ અને તાર્કિક રીતે આપવામાં સમર્થ બનવું જોઈએ. આજના ગતિ અને વિજ્ઞાનના યુગમાં જો નવી પેઢીમાં જૈન સંસ્કાર સુદઢ કરવા હોય તો એમની જિજ્ઞાસાને સંપૂર્ણ સંતોષીને એમનામાં શ્રદ્ધાને જગાવીને સ્થિર બનાવવી જોઈએ. આ કામ માત્ર પૂજન-અર્ચનથી નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે એમની જ્ઞાનપિપાસા અને જિજ્ઞાસા જગાડીને કરવું પડશે, ત્યારે તેઓ શાકાહારી બની રહેશે, ત્યારે જ એમના હૃદયમાં વિદેશી વાતાવરણમાં હોવા છતાં પણ અહિંસાની શક્તિ અને સાહસ જાગશે. આ વાત ભારતમાં રહેતી યુવાન
220
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org