________________
જેને ધર્મઃ વારસો અને વૈભવ ફિલાડેલ્ફિયા, એલેન ટાઉન, પિટ્સબર્ગ, રિચર્ડ, અલબેની, બફેલો, કોલમ્બસ (ઓહાયો), કેનસાસ સિટી, રેલે, ટોલેડો, એડમંટન વગેરે શહેરોમાં આવાં મંદિરો છે.
ઈ. સ. ૧૯૮૮માં ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં પ્રથમ સંયુક્ત જૈનમંદિરની પ્રતિષ્ઠા સંપન્ન થઈ. જ્યાં એક શહેરની મધ્યમાં જૂના ચર્ચને બદલીને જૈન મંદિરમાં પરિવર્તિત કરવામાં આવ્યું. એ સમયે હું બેલ્જિયમમાં ભારતનો રાજદૂત હતો અને મને આ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યો હતો. લંડનમાં ઓશવાળ જૈન એસોસિએશનના તત્ત્વાવધાનમાં વિશાળ પરિસરમાં ખૂબ પ્રભાવશાળી મંદિરનું નિર્માણકાર્ય પ્રારંભ થઈ ચૂક્યું છે. લંડનના અન્ય ભાગોમાં બીજા પણ શ્વેતાંબર અને દિગંબર મંદિર સ્થાપિત થઈ ગયાં છે.
આફ્રિકાના કેનિયા દેશની રાજધાની નાઇરોબીમાં જૈન મંદિરની સ્થાપના ઈ. સ. ૧૯૭૦ની આસપાસ થઈ અને મંદિરે જૈન સમાજને માત્ર એકસૂત્રમાં બાંધ્યું જ નથી પરંતુ આફ્રિકન જનતાને માટે લાભપ્રદ શૈક્ષણિક, સ્વાસ્થવર્ધક અને પર્યાવરણીય યોજનાઓ અમલમાં લાવી જૈન ધર્મનું વ્યાવહારિક માનવીય રૂપે પ્રસ્તુત કર્યું છે. એપ્રિલ ૨૦૦૫માં આચાર્યા ચંદનાજીની પ્રેરણાથી નાઇરોબી જૈન સમાજે જૈન યુવા વર્ગ માટે એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું જેનો મુખ્ય વિષય હતો જીવનની વિભિન્ન ગતિવિધિઓમાં અનુકંપા અને અહિંસાને કઈ રીતે વધારી શકાય ? મેં મુખ્ય વક્તાના રૂપમાં કહ્યું કે જૈન ધર્મના સિદ્ધાંતોના માધ્યમથી નરક બનતી જતી પૃથ્વીને આપણે પુનઃ સ્વર્ગ બનાવી શકીએ છીએ.
સિંગાપોરનો જૈન સમાજ, જૈન સ્થાનક તથા જૈન મંદિરને કેન્દ્રબિંદુ બનાવીને માત્ર જૈન ધર્મનું વિધિવત પાલન જ નથી કરી રહ્યો પરંતુ જૈન ધર્મનો સંદેશ ઉત્સાહથી સિંગાપોર સમાજમાં ફેલાવી રહ્યો છે. એનાથી પ્રેરાઈને હવે પાડોશી દેશ મલેશિયામાં જૈન મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે અને જૈન સમાજ સંગઠિત બનીને ધર્મની ચેતનાને ફેલાવી રહ્યો છે. હોંગકોંગમાં પણ જૈન સમાજ સક્રિય છે અને એ જ રીતે થાઇલેંડની રાજધાની બેંગકોકમાં પણ.
218
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org