________________
આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ
વિધિવિધાનથી ભારતથી સાત સમંદર પાર સંસારમાં કરી રહ્યા છો એટલું જ નહીં પરંતુ સાથે સાથે જૈન ધર્મની સૌરભને પાશ્ચાત્ય જૈનેતર સમાજમાં પ્રસારિત કરી રહ્યા છો.”
ગુરુદેવ ચિત્રભાનુજીના અમેરિકા આગમન પછી આવ્યા આચાર્ય સુશીલકુમારજી. એમણે મુનિપદ છોડ્યું નહીં, પરંતુ મુનિસંબંધી યાત્રા વગેરેના પ્રતિબંધ પોતાના વિશ્વ મિશન પર જવા માટે શિથિલ કર્યા. એમણે કેટલાંય આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભાગ લઈ મૂળ જૈન ધર્મને અહિંસાના રૂપમાં વિશ્વ સમક્ષ પ્રભાવકરૂપે મૂક્યો. જેનું વર્ણન આ પુસ્તકના અન્ય અધ્યાયોમાં થઈ ગયું છે. એમની સર્વોચ્ચ ઉપલબ્ધિ હતી ન્યૂયોર્ક શહેરની પાસે ન્યૂજર્સીમાં ભારતની બહાર પ્રથમ જૈન તીર્થ “સિદ્ધાચલમ'ની સ્થાપના.
ઈ. સ. ૧૯૯૦માં “સિદ્ધાચલમ'નું વિહિવત્ ઉદ્ઘટન થયું. આ તીર્થસ્થળની મહત્તા છે કે અહીં જૈન ધર્મના બધા મુખ્ય પ્રમુખ સંપ્રદાયો, પરંપરાઓ અને આમન્યાઓ અનુસાર પૂજન-અર્ચન અને સાધનાની સુવિધાઓ એકસાથે છે. એક જ મંદિરગૃહમાં છે શ્વેતાંબર જૈન મૂર્તિઓ અને દિગંબર જૈન મૂર્તિઓ. સ્થાનકવાસી સાધના માટે પણ બધી સુવિધા છે. આ રીતે જૈન એકતાનું અનોખું દર્પણ બની ગયું છેસિદ્ધાચલમ' અને એનાથી પ્રેરણા મેળવીને અમેરિકામાં જ્યાં જ્યાં જૈન મંદિરો બન્યાં છે ત્યાં આ સંયુક્ત પ્રણાલી અપનાવવામાં આવી છે.
ભારતથી અમેરિકા ફરવા ગયેલા જૈન વ્યક્તિઓ અને પરિવારોને મુખ્ય શહેરોમાં આકર્ષક તથા શાલીન સ્થાપત્યથી નિર્મિત જૈન મંદિર અને એના વિસ્તૃત પ્રાકૃતિક પર્યાવરણીય પરિસરને જોઈને સુખદ અનુભવ થાય છે. દર રવિવારે મંદિરોમાં ચાલતી પાઠશાળાઓમાં નવી પેઢીની ધર્મજિજ્ઞાસા અને વૈજ્ઞાનિક રૂપથી જૈન સિદ્ધાંતોને સમજવા અને ગ્રાહ્ય કરવાની તત્પરતા જોવા મળે છે.
ન્યૂયોર્ક, ન્યૂજર્સી, વૉશિંગ્ટન, શિકાગો, ડેટ્રોઇટ, બોસ્ટન, સિનસિનાટી, ડલાસ, હ્યુસ્ટન (ટેક્સાસ), લૉસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, ટોરન્ટો (કેનેડા) વગેરે સ્થળોએ જૈનમંદિરો છે. આ ઉપરાંત જ્યાં જૈન સમાજ ખૂબ અલ્પ સંખ્યામાં છે ત્યાં વિશાળ હિંદુ મંદિરોમાં પણ સ્વતંત્ર જૈન ભાગ સુચારુ રૂપે ચાલી રહ્યો છે.
217
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org