SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ G કેનેડાના શ્રી બુસ કહે છે : “જૈન દર્શન અને આચારવિચારે મારા હૃદયમાં ખૂબ શીતળતા લાવી દીધી છે. અને મને “આત્મિક સંતુલનનો આનંદ' તથા આત્મનિર્ભરતાનો વિશ્વાસ મહેસૂસ થઈ રહ્યો છે.” શ્રીમતી ક્લયર રાજેનફીલ્ડ (બ્રાહ્મીદેવી)ના હૃદયના ઉદ્ગાર છે : “અઠવાડિયામાં એક ઉપવાસ મારા આરોગ્યને નિશ્ચિત કરી દે છે. ઉપવાસના દિવસે મને લાગે છે કે જાણે મને આહારથી આઝાદી મળી અથવા તો એમ કહે કે ભૌતિક ઇચ્છાઓ અને રાગ દ્વેષથી સ્વતંત્રતા મળી ગઈ હોય.” નોર્વેની મેટે નોરગાર્ડ (મધુમુક્તા) લખે છે : “હું નિયમિત ધ્યાન, સામાયિક અને યોગ-અભ્યાસ કરું છું. આનાથી મારો અહિંસા પ્રત્યેનો સંકલ્પ દૃઢ બનતો જાય છે. આ કોઈ ભાવાવેશ નથી, એ તો મને પોતાના અંતરાત્માનો અવાજ લાગે છે. હવે મને સ્પષ્ટ સમજાયું છે કે મારા જીવનના ઉદ્દેશોમાં કઈ રીતે બીજાને “જીવો અને જીવવા દો'નો પાઠ શીખવવો. અહિંસા મારા જીવનમાં અંતરંગ વણાઈ ગઈ છે અને અહિંસાનો વ્યવહાર મને વધુ સ્કૂર્તિવાન અને ઊર્જાસંપન્ન બનાવે છે.” બોબ ફાઇન્સનના માર્મિક વિચાર છે : “જૈનદર્શને મને મારી ૪૦ વર્ષની ઉમરમાં જગાવી દીધો છે. બે વર્ષ સુધી મારી પત્ની ટાઢિયા તાવથી મોત સાથે ઝઝૂમી રહી હતી. જૈન સિદ્ધાંતોએ એના હૃદયમાંથી મોતનો ડર હટાવી દીધો. એને સમજાઈ ગયું છે કે મોત તો જીવનમરણના ચક્રનો એક હિસ્સો માત્ર છે. અમને બંનેને સ્પષ્ટ આભાસ થયો છે કે પ્રેમ શાશ્વત છે, મોહ અને રાગ આવતા જતા રહે છે.” જર્મનીના રાઇન હોલ્ડ બ્રાઉનના અનુસાર : “હું પાંચ વાર ભારત જઈ આવ્યો છું અને પહાડ ઉપર વસેલાં જૈન તીર્થોની યાત્રા કરતો રહું છું. હું ગિરનાર, શત્રુંજય, આબૂ અને સમેતશિખર પર છેક શિખર સુધી ચડ્યો. હવે મારી મનોકામના છે કે હું શ્રમણબેલગોડા જઈને બાહુબલી સ્વામીનાં દર્શન કરું.” 215 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy