________________
૧૮
આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ
૨૧મી શતાબ્દીના પ્રારંભમાં માનવતા ઇતિહાસના નિર્ણાયક વળાંક પર આવીને ઊભી છે. અકલ્પ્ય વૈજ્ઞાનિક અને તંત્રવિજ્ઞાનની પ્રગતિએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વિચાર, વ્યવહાર અને દિશાબોધમાં નવી અને સતત પરિવર્તનશીલ સંભાવનાઓ ઊભી કરી છે. ભૌતિક પ્રગતિમાં દરરોજ નવાં શિખરો સર થઈ રહ્યાં છે. સુખ અને સાધનસંપન્નતાની ફેલાતી માયાજાળમાં પ્રોત્સાહિત ફરવાવાળી અનેકાનેક આકર્ષણભરી ઉપલબ્ધિઓ એક પછી એક જીવનપટ પર આવીને એક તરફ તો લાગે છે કે તૃપ્ત કરી રહી છે, તથા બીજી તરફ લાગે છે કે તે લાલસા, મોહ, એશો-આરામ અને ભોગવિલાસની પ્રવૃત્તિમાં માનવસમાજને જકડી રહી છે. વિશ્વસ્તર ૫૨ સંચારક્રાંતિના કારણે ભૌતિક જીવનમાં નવી નવી આશાઓ, આકાંક્ષાઓ, જરૂરિયાત અને મૃગતૃષ્ણા સમાજના બધા સ્તરોએ નિરંતર વધતી જાય છે. રોજબરોજનું જીવન વધુ લોલુપ, દરરોજ નવી માંગણીના મોહથી ઘેરાયેલું અને માયાગ્રસ્ત થઈ રહ્યું છે. ઉપભોક્તાવાદના નામ પર ઇચ્છાઓનો નિર્બંધ નાચ સર્વજગતમાં વ્યાપી ગયો છે. ધર્મ અને અધ્યાત્મ પર
205
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org