________________
પર્યુષણ પર્વ
(૫) ઉત્તમ સત્ય :
“ો દિત સત્ય” જે સજ્જનો અને સદ્ગણોને હિતકર હોય તે સત્ય છે. ઉત્તમ સત્ય પૂર્ણત: માનવહિતને સર્વોપરિ માને છે. તેથી એને પાંચ મહાવ્રતો અને અણુવ્રતોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ક્ષુલ્લકગણેશપ્રસાદ વર્ણીએ પોતાના પુસ્તક “દશલક્ષણધર્મમાં લખ્યું છે :
“અસત્ય ભાષણ પાપ છે કારણ કે એનું મૂળ કષાય છે અને જ્યાં કષાય છે, ત્યાં હિંસા થાય જ છે. સત્ય વગર ધર્મ નિપ્રાણ છે.”
અહિંસા અને સત્ય એકબીજા સાથે ગૂંથાયેલાં છે. અહિંસાના દ્વાર પર પહોંચવા આત્મશક્તિને વધારવાની છે.
પ્રશ્નવ્યાકરણ શાસ્ત્રમાં લખ્યું છે : “= સä તે શુ માવં ”
અર્થાત્ “સત્ય જ ભગવાન છે. જ્યાં સત્ય છે, ત્યાં છળકપટ અને અન્ય ખરાબીઓ ટકી શકતી નથી. જીવનના મેદાનમાં સત્ય એક સજાગ ચોકીદારની જેમ છે. સત્યનું બળ જ સંકટમાં મનુષ્યનો આશરો બને છે અને તે જ એકમાત્ર કામ આવે છે.” આ જ વાત ખૂબ માર્મિક શબ્દોમાં વ્યક્ત કરી છે મુનિશ્રી સમતાસાગરજીએ :
“સત્ય સૃષ્ટિનો સાર છે, સત્ય નિર્બળનું બળ છે, સત્ય સત્ય છે, સત્ય નિત્ય છે, અટલ અમલ છે, જીવનબાગમાં સરસ સત્યનું, ખીલતું દિવ્ય કમળ છે,
ક્ષમા, નમ્રતા, ઋજુતા, શુદ્ધતાનું સત્ય જ આધાર છે.” વર્તમાન સ્થાનકવાસી ચતુર્થ પટ્ટધર આચાર્યશ્રી શિવમુનિજીએ કહ્યું છે :
“સત્યપૂર્ણ જીવન અત્યંત જરૂરી છે. કેવળ સત્ય બોલવું પર્યાપ્ત નથી. આપણે સત્યને વૈયક્તિક અને સામાજિક ચેતનાનો અંતરંગ ભાગ બનાવવો જોઈએ. મહાત્મા ગાંધીજીએ સત્યની સર્વવ્યાપી સંસ્કૃતિનું પાલન અને પ્રસાર અહિંસા ધર્મપાલનની જેમ જ કર્યા છે.”
જૈન શિષ્ટ મંડળના પ્રયત્નો અને આપણા બધાની કર્મઠ અને તાર્કિક રજૂઆતથી શિકાગોમાં ૧૯૯૩માં સંપન્ન વિશ્વધર્મ સંસદ (વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ
195
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org