________________
પર્યુષણ પર્વ
આપણે દયાળુ દેખાવા માટે એક ખોટો સિક્કો ભિખારીને આપી દઈએ અથવા ગાયને એક રોટલી આપીએ અને પછી તરત જ શોષણ, નફાખોરી, ભ્રષ્ટાચારમાં લીન બની જઈએ એ આર્જવભાવ નથી. મંદિરમાં આત્મસાધના અને બહાર આવતાં જ શરીરસાધના ! આનાથી વધીને કુટિલતા અને બણગા હોઈ ન શકે. સરલતા આવે છે, પાપનો બોજ સંપૂર્ણતઃ દૂર કરવાથી અને સેવાના માધ્યમથી પુણ્ય કમાવાથી. આર્જવગુણના જ્વલંત પ્રતીક છે ભગવાન મહાવીર, બુદ્ધ, ગાંધી, વિનોબા, મધર ટેરેસા અને જૈન સમાજમાં આચાર્યા ચંદના, જેમણે માનવસેવાને જ પોતાનો ધર્મ સમજી અને એનું નિષ્ઠા અને સમર્પણથી પાલન કર્યું. મુનિશ્રી સમતાસાગરજીએ કહ્યું છે :
“જે વૃક્ષ સરળતાથી પોતાના ફળો લુટાવે છે; એમાં વારંવાર ફળ આવે છે, પરંતુ જે પોતાનાં ફળો છુપાવે છે તે મૂળ સાથે સુકાઈ જાય છે.”
આર્જવભાવ આપણને કપટી થવાથી બચાવે છે. હંસ અને બગલો એસરખા દેખાય છે, પરંતુ બંને સ્વભાવથી વિપરીત છે. આ જ કારણે લોકો હંસને પ્રેમ કરે છે અને બગલાને તિરસ્કાર. આચાર્ય પદ્મનદિએ લખ્યું છે કે –
"मायित्वं कुरुते कृतं संकृर्दापच्छाया विधातं गुणे । ज्वाजातेयमिनोऽर्जितेष्विह गुरुकलेशैः शमादिष्वलम् ।। सर्व तत्र यदासते विनिभृता क्रोधाक्ष्यस्तत्वत ।
स्तत्पापवत येन दुर्गतिषथे जीवंश्चिरं भ्राक्यति ।।" અર્થાત્ જો મુનિ દ્વારા એક વાર પણ કપટ થઈ જાય તો સાધનાથી ભેગા કરેલા સમ્યગુણો ઢંકાઈ જાય છે. માયાચારરૂપી મકાનમાં ક્રોધ આદિ કષાયો છુપાયેલા રહે છે. આવા માયાચારથી થયેલાં પાપનો બોજો પ્રાણીઓને અનેક દુર્ગતિઓમાં ભ્રમણ કરાવે છે. (૪) ઉત્તમ શૌચ :
“શુમતિ: શીવ - પવિત્રતાનો ભાવ એટલે શૌચ. લોભ-કષાયના દૂર થવાથી પવિત્રતા પ્રગટ થાય છે. સરળ ભાષામાં શુદ્ધતાનો અર્થ છે મનનું ચારે બાજુથી ખૂબ સાફ થઈ જવું. લોભમાં બધા પ્રકારના દુર્ગુણોનો સમાવેશ થાય છે.
193
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org