________________
ભરત–બાહુબલી
કે નથી ચઢવું યુદ્ધ. માને તો ઠીક, ન માને તો કાંઈ ચક્રવર્તીપણું જવા દેવાય ?”
રાજા ભરત કહે, “સાવ સાચી વાત. મને તમારા બોલ ગમે છે. દૂતને મોકલો.”
તક્ષશિલાનો દરબાર છે. ભારે ઠાઠ છે. અદલ ન્યાય છે. કીડીને કણ ને હાથીને મણ મળે છે. ન કોઈ દુઃખી છે, ન કોઈ અસંતોષી છે. કામદેવની કાંતિથી દીપતા રાજા બાહુબલી શૂરા સામંતો વચ્ચે બેઠા છે. ત્યાં તો આવ્યો રાજા ભરતનો દૂત. વંદન કરી સંદેશ કહ્યો : “રાજાજી ! ભરત છે તમારા મોટા ભાઈ. બંને રીતે તમારે પૂજ્ય છે. માટે માનો એમની આજ્ઞા ને થાવ એમના સેવક.'
બાહુબલી કહે, ‘આજ્ઞા ભગવાન ઋષભદેવની. ભરત મોટા ભાઈ ખરા, પણ સેવક થનારા બીજા. બાપનું, આપ્યું ભોગવીએ છીએ. અમારે વઢવુંય નથી, લડવુંય નથી.
દૂત બોલ્યો : “રાજરાજેશ્વર ભરતે છ છ ખંડ જીત્યા છે. તમારા જેવાનો હિસાબ શો ? આજ્ઞા માનવી હોય તો માનો નહીંતર લડવા માટે તૈયાર રહેજો.”
આ તો ભારે વાત ! વઢ, નહીં તો વઢવા દે જેવી !
બાહુબલી તો ક્રોધે ભરાયા. રાતી-પીળી આંખો થઈ. સિંહની પેઠે ગર્જા જોયા જોયા તારા રાજાને, જઈને કહેજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org