________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧
કહેવાઉં.”
તેણે મોટા મોટા હાથી લીધા. પાણીપથા ઘોડા લીધા. શૂરા એવા સૈનિકો લીધા. લાવલશ્કર લઈને નીકળી પડ્યો.
ઘણા ઘણા દેશ જીત્યો. મોટા મોટા રાજાઓને હરાવ્યા. ઠેર ઠેર આણ વર્તાવી. છ ખંડ જીતી પાછો ફર્યો.
ભરત રાજાને વિચાર આવ્યો. બધાને જીત્યા, બાકી રહ્યો બળિયો બાહુબલી, પણ તેને જીતવો શી રીતે ? બાહુબલી જેવો તેવો નહોતો. સિંહ જેવો બળવાન ને વાઘ જેવો વિકરાળ. જમ જેવા તો તેના હાથ. આવાને તે કેમ પહોંચાય ? કોઈથી ગાંજ્યો ન જાય. શત્રુઓ એનું નામ સાંભળે તો થથરી મરે. - ભરતને ડર પેઠો. હાર થાય તો આબરૂના કાંકરા જ થાયને ! આખી દુનિયાને જીતનારો નાના ભાઈથી હારે એ તે કેટલી શરમની વાત ! અને કદાચ જીત્યા તોયે શું ! લોકો કહેશે કે નાના ભાઈનું રાજ્ય પડાવી લીધું. આ તો સૂડી વચ્ચે સોપારી.
ભરત રાજાએ બોલાવ્યો પ્રધાનને કહ્યું, “પ્રધાનજી ! પ્રધાનજી ! સાચી સલાહ આપો. અમારે આવ્યાં ધર્મસંકટ. એક બાજુ ચક્રવર્તી થવાનો મોહ. બીજી બાજુ સગો ભાઈ. કયે રસ્તે ચાલવું !'
પ્રધાન કહે, “રાજાજી! નાના ભાઈને કહેવડાવો કે મોટા ભાઈની આજ્ઞા માનો. અમારે નથી જોઈતાં તમારાં રાજપાટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org