________________
૧૪
‘સહુ સાથે હેતથી વર્તવું. ‘જૂઠું બોલવું નહિ.
ચોરી કરવી નહિ.
‘શિયળવ્રત પાળવું. “સંતોષથી રહેવું.
વ્યસનો પાડવાં નહિ.
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧
‘સંતોની સેવા કરવી,' વગેરે.
ઘણા લોકો આ ધર્મ પાળવા લાગ્યા.
જે લોકો ઉપર કહેલો ધર્મ પાળવા લાગ્યા તેમનો એક સંઘ સ્થાપ્યો. એ સંઘ તીર્થ પણ કહેવાય છે. તેથી આદિનાથ પહેલા તીર્થ કરનાર એટલે તીર્થંકર થયા.
આવી રીતે ઘણો વખત ઉપદેશ આપીને તેઓ નિર્વાણ પામ્યા. આજે પણ લોકો સવા૨માં ઊઠી તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું સ્મરણ કરે છે.
શ્રી ઋષભદેવનાં ઘણાં તીર્થો છે : શત્રુંજય, આબુ, રાણકપુર, કેશરિયાજી, ઝઘડિયાજી વગેરે.
બોલો ઋષભદેવ ભગવાનકી જે !
બોલો શ્રી આદીશ્વર દેવકી જે !
ન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org