SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર શ્રી ઋષભદેવ ૧૩ પગમાં માથું મૂકી દીધું. તેમનું હૈયું ભક્તિ અને આનંદથી ઊભરાઈ ગયું. આનંદના ઊભરામાં વિચાર કરતાં કરતાં તેમને ખબર પડી કે સાધુને કેવી ભિક્ષા અપાય. આ વખતે શ્રેયાંસકુમારને ત્યાં શેરડીનો રસ આવેલો હતો. તેમણે ત્યાગી ઋષભદેવને વિનંતી કરી કે “ભગવાન, મારે ત્યાંથી ભિક્ષા લઈ મને પાવન કરો. આપને લેવા લાયક આ શેરડીનો રસ તૈયાર છે.” આ સાંભળી શ્રી ઋષભદેવે પોતાના બે હાથ લાંબા કર્યા. હાથ એ જ તેમનું વાસણ હતું. આમ એક વરસની આખરે શ્રેયાંસકુમારે શ્રી ઋષભદેવને શુદ્ધ ભિક્ષા આપી. શ્રી ઋષભદેવે એનાથી પારણું કર્યું. એટલે સઘળા લોકો હરખાયા. તેમણે બધાએ શ્રેયાંસકુમારને ધન્યવાદ આપ્યા ને કહેવા લાગ્યા, “ધન્ય આવા સુપાત્રને ! ધન્ય આવા દાન દેનારને !' આદિનાથ ભગવાન આ પ્રમાણે ઘણું ફર્યા. ફરતાં ફરતાં તેમને દુનિયાનું સાચું અને પૂરું જ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે લોકોને ઉપદેશ આપ્યો : પોતાની ભૂલો સુધારી જીવનને પવિત્ર બનાવવું. “કોઈ જીવને મારવો નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005439
Book TitleRushabhdev Tirthankar Bharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy