________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૩
.
.
ن.
ت
.ن.
દેશ.શ્રેણિક અમારા રાજાનું નામ.”
આદન રાજા બોલી ઊઠ્યા: એ તો અમારા મિત્ર. લાંબા વખતના અમારા દોસ્ત. બધી રીતે એ કુશળ તો છે ને?
વેપારી કહે, ‘હા મહારાજ ! પ્રભુની પરમ કૃપાથી એ કુશળ છે.”
આદ્રકુમાર સભામાં બેઠા હતા. તેમણે વેપારીઓને પૂછયું ભલા વેપારીઓ ! એ રાજાને કુંવર છે કે ?” વેપારીઓ કહે, એમને ઘણા કુંવર છે. એકને જુઓ એકને ભૂલો. તેમાં અભયકુમાર બુદ્ધિનો ભંડાર છે, ગુણનો નિધાન છે. વળી રાજા શ્રેણિકના પાંચસો પ્રધાનોમાં તે વડો છે.'
વાહ ! ત્યારે તો બહુ મજાની વાત. તેમને હું દોસ્ત બનાવીશ. શ્રેણિક મારા પિતાના દોસ્ત. અભયકુમાર મારા દોસ્ત :' આદન રાજા આ સાંભળી ખુશ થયા. કુંવરને આ વિચાર માટે શાબાશી આપી.
આદ્રકુમાર કહે, ‘તમે બધા જાવ ત્યારે મારો સંદેશો લેતા જજો.’
વેપારીઓ માલ વેચી રહ્યા. નવો માલ ખરીદી રહ્યા. સ્વદેશ જવા તૈયાર થયા. આદ્રકુમાર પાસે મળવા આવ્યા. કુમારે મોતી ને પરવાળાંનો દાભડો તૈયાર કર્યો. પછી વેપારીઓને કહ્યું: ‘અભયકુમારને આ આપજો ને કહેજો કે આદ્રકુમાર તમારા મિત્ર થવા ઇચ્છે છે. મિત્રની આ નજીવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org