________________
આચાર્ય શ્રી જંબુસ્વામી
-
૧૩
જંબુકુમારની સ્ત્રીઓ પોતપોતાનાં માબાપ પાસે ગઈ અને દીક્ષા લેવા માટે તેમની રજા લીધી. માબાપોએ તેમને રજા આપી. તે બધાં પણ દીક્ષા લેવા તૈયાર થયાં. રાજા કોણિકને ખબર પડી કે જંબુકુમાર દીક્ષા લે છે એટલે તેણે તેને ખૂબ સમજાવ્યો. પણ જંબુકુમાર પોતાના નિશ્ચયમાંથી ડગ્યા નહિ.
પ્રભવ પણ પોતાના પાંચસો સાથીઓ સાથે દીક્ષા લેવાને તત્પર થયો.
દીક્ષાનો મોટો ઓચ્છવ થયો. તેમાં જંબુકુમારે પાંચસો ને સત્તાવીસ જણ સાથે દીક્ષા લીધી. આવા ઓચ્છવો ધરતીના પડમાંયે બહુ ઓછા થયા હશે.
જંબુકુમાર સોળ વરસની ઉંમરે સુધર્માસ્વામીના શિષ્ય થયા. સંજમ ને તપથી પોતાનાં મન, વચન ને કાયાને પવિત્ર કરવા લાગ્યા. ગુરુ આગળ તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ને થોડા વખતમાં તો તે બધાં શાસ્ત્રોમાં પારંગત થયા.
સુધર્માસ્વામીનું નિર્વાણ થતાં તેઓ તેમની પાટે આવ્યા. બધાં જૈન સંઘના આગેવાન થયા. તેમણે પ્રભુ મહાવીરના ઉપદેશનો ખૂબ પ્રચાર કર્યો. તપ ને ત્યાગનું વાતાવરણ ફેલાવ્યું. અનેકનાં કલ્યાણ કર્યા.
જંબુસ્વામીને પોતાનું જીવન પૂરેપૂરું પવિત્ર થતાં કેવળજ્ઞાન થયું અને કેટલાંક વર્ષ પછી તેઓ નિર્વાણ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org