________________
૧૬
વિદ્યાર્થી વાચનમાળા સુભદ્રાને રથ ૪૩ ફૂટ ઊંચો અને ૩૨ ફૂટ લાંબો પહોળા હોય છે. એમાં ૬ ફૂટ વ્યાસનાં ૧રચક્ર હોય છે. એના શિખર ઉપર કમલ હોવાથી તે કમલધ્વજ રથ કહેવાય છે. રથયાત્રાના દિવસે મુક્તિના અપૂર્ણ હાથપગને સોનારૂપાના હાથપગ જોડે છે. એ દિવસે પુરીના રાજા રત્નજડિત ઝાડુ લઈને રાજવેશમાં આવે છે, અને રથ સામેને કચરો સાફ કરે છે. પછી પૂજા કરે છે અને રથની રેશમી દોરી પકડી રથને એક્લા ખેંચે છે. મહારાજાએ આરંભ કર્યા પછી ૪ર૦૦ મજૂરો તથા યાત્રીઓ ખેંચવાના કાર્યમાં મહારાજને મદદ કરે છે. આ ઉત્સવ આઠ દિવસ ચાલે છે.
(૬) અષાડ એકાદશીએ ત્રિમતિને પલંગ ઉપર સવાડે છે. એ શયનોત્સવ છે.
(૭) શ્રાવણ માસમાં સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી મંડપમાં હીંચકા ઉપર મૂર્તિઓને મૂકીને તેમને હીંચોળે છે. એ હિંડોળા ઉત્સવ કહેવાય છે. એ સમયે મંડપમાં નાચ, ગાણું વગેરે ખૂબ થાય છે.
(૮) શ્રાવણ મહિનામાં વદ આઠમે જન્મોત્સવ ઉજવાય છે. એ દિવસે કેઈ નર્તકી દેવકીને અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org