________________
જગન્નાથપુરી માઓને શણગારે છે. આરતી થઈ રહ્યા પછી, ન શણગાર ચઢે છે. આ બીજા શણગારને આરામશણુગાર કહે છે. બપોરે દ્વિપ્રહર શણગાર, ચારેક વાગે ચંદનશણગાર, અને રાત્રે શયનશણગાર થાય છે. દરેક વખતે પ્રતિમાઓને નવનવાં વસ્ત્રો પહેરાવે છે અને તેવા સ્વરૂપમાં જનતાને દર્શન કરાવવામાં આવે છે. કોઈ કોઈ વાર નવાં નવાં વસ્ત્રો પહેરાવતી વખતે દામોદર વામન વગેરેના વેશ પણ મૂર્તિઓને આપે છે.
- સવારે ઢોલીઓ દુદુભિ વગાડે છે, તે સાથે મંગલ આરતી થાય છે. તે પછી મુખ ધોવું, નાન, બાલભોગ અને પ્રાત:ભેગનાં દર્શન અને નૈવેદ્ય થાય છે. બાલભેગના નિવેદ્યમાં દહીં, ધાણી, કેપ વગેરે હોય છે. પ્રાત:ભેગના નિવેદ્યમાં ફળ વગેરે હોય છે. તે પછી બપોરે ભોજનના થાળને નૈવેદ્ય ધરાય છે. સાંજે ચાર વાગે નિદ્રાભંગ થાય છે. તે વખતે જલેબીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તે પછી સંધ્યા નૈવેદ્ય થાય છે. એ વખતે વિવિધ પ્રકારની મીઠાઈઓને ભેગ ધરાવવામાં આવે છે. તે પછી મહાશૃંગાર ભોગ ધરાવવામાં આવે છે. એ વખતે પુરીના રાજા તરફથી આવતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org