________________
જગન્નાથપુરી
છેક પશ્ચિમમાં જગન્નાથજીનું મંદિર છે. તેની આગળ મોહનમંદિર છે. તેની આગળ નાટ્યમંદિર છે, અને તેની આગળ ભેગમંડપ છે.
ભગમંડપ પૂર્વ પશ્ચિમ ૫૮ ફૂટ અને ઉત્તર દક્ષિણ પ૬ ફૂટ જેટલું વિશાળ છે. મંડપના દ્વાર ઉપર નવ ગ્રહની નવી સુંદર કૃતિઓ વિદ્યમાન છે. એના પણ ચાર પ્રવેશદ્વાર છે. પણ અહીં નિવેદ્યાન્ન મુકાતું હોવાથી, પશ્ચિમ સિવાયના બીજા દરવાજા હમેશાં બંધ રહે છે.
ભેગમંદિરની પાછળ નાટ્યમંદિર છે. નાયમંદિર ૮૦ ફૂટ લાંબું અને પહેલું છે. તેને ચાર દરવાજા છે. પૂર્વ દ્વારમાં જયવિજયની મૂર્તિઓ છે. નાટયમંદિરની પાછળ મેહનમંદિર છે. આ મંદિર પ૦ ફૂટ જમીન ઉપર આવેલું છે. આ મંદિરની દીવાલ ૧૨૦ ફૂટ ઊંચી છે. તેને દેખાવ તંબૂ અથવા પિરામિડ જેવો છે. તેની પાછળ જગન્નાથજીનું મુખ્ય મંદિર છે. આ મૂળ દેવાલય જે હાલમાં અસ્તિત્વમાં છે, તે મહારાજા ચૌડગંગ જે ગંગવંશને એક રાજા થઈ ગયો, તેણે બનાવ્યું હતું. આ મંદિર ૮૦ ફૂટ ભૂમિ રોકે છે. તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org