________________
=
૧૦
વિદ્યાર્થી વાચનમાળા-૮
અદ્ધાર કહે છે. સિંહદ્વાર કાળા પાષાણુનું છે, તેમાં એ બાજુએ સિંહની ભવ્ય મૂર્તિઓ છે. આ દ્વાર શિલ્પકળાને ઉત્તમ નમૂને છે. દ્વારપ્રદેશમાં દેના દ્વારપાળ જય અને વિજયની પ્રતિમાઓ છે. દરવાજાની સામે ૪૪ ફૂટ ઊંચે અરુણતંભ નામે તંભ છે. ખાજાદ્વારમાં કોઈ મૂતિ નથી. હસ્તિદ્વારમાં બે હાથી અને અથદ્વારમાં બે ઘડાનાં ભવ્ય ચિત્રો છે.
પૂર્વદ્વારમાં દાખલ થાઓ એટલે ત્યાંથી મંદિરને ભવ્ય અને વિશાળ દેખાવ દેખાશે. એ દેખાવ તમારી દષ્ટિને ખચિત જ આંજી નાંખશે. ડાબી બાજુએ શ્રીકાશી વિશ્વનાથ અને શ્રી રામચંદ્રજીની પ્રતિમાઓ છે. અહીંથી બાવીસ પગથિયાં ચઢીને નીચે ઊતરો, એટલે તમે અંદરના આંગણામાં દાખલ થશે. આ આંગણું પૂર્વ-પશ્ચિમ ૪૦૦ ફૂટ અને ઉત્તર દક્ષિણ ર૭૮ ફૂટ જેટલું લાંબું છે. આ આંગણાની ચારે દિશાએ ચાર પ્રવેશદ્વાર છે. આંગણાની વચમાં જગન્નાથજીનું ભવ્ય અને ભદ્ર મંદિર વિદ્યમાન છે. આ મંદિરની ચારે બાજુએ દેવદેવીઓનાં બીજાં અસંખ્ય મંદિરો છે.
ભગવાન જગન્નાથજીના મંદિરના ચાર ભાગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org