________________
ચિંતાતુર હતો. પત્ની છ માસથી બીમાર હતી. બાળકો નાના હતાં. તેથી નોકરીમાં ક્યારેક મોડું થતું. શેઠે કાઢી મૂક્યો. પત્નીની દવા, ભુખ્યા બાળકોની રડારોડ આ બધી મુંઝવણોમાં કોઈ ઉપાય સૂઝતો ન હતો. ન છૂટકે ચોરી કરવી પડી, જૈન છતાં મેં ભયંકર પાપ કર્યું છે. મને સજા કરાવો. પણ મારી પત્ની અને છોકરાં નિર્દોષ છે. એમના માટે કાંઈક કરજો....”
બધાં ટ્રસ્ટી સમજી ગયાં કે અતિ દુઃખમાં માણસ ગમે તે કામ કરી બેસે. છતાં ખાતરી કરવા પાકી તપાસ કરાવી. વાત તદ્દન સત્ય હતી. જુઠાભાઇએ પૂછ્યું,“આ જૈનનું શું કરવું છે ?” એક ટ્રસ્ટીએ કહ્યું કે,“આના પાપમાં આપણે પણ જવાબદાર છીએ. સંઘના જૈનોને દુ:ખ આવે તો આપણે પણ સહાય કરવી જોઈએ.” વિચારણા કરીને ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે આના ઘરે તાત્કાલીક દવા અને બે માસનું અનાજ પહોંચાડીએ. અને નોકરી અપાવવી જેથી કાયમ માટે એનું દુઃખ દૂર થાય.
આજે એના પુત્રો સુખી છે. આ વાત યાદ કરીને કહે છે, “શ્રી સંઘના અમે અત્યંત ૠણી છીએ!! જૈનત્વના પ્રેમી ટ્રસ્ટીઓએ અમને જેલને બદલે મહેલ આપ્યો!!! એમના રૂડા પ્રતાપે આજે અમે ખૂબ સુખી છીએ! સંધનો ઉપકાર અમારા વંશવારસોને સદા યાદ રહેશે !”
હે જૈનો ! તમે જૈનપણાનું મહત્ત્વ સમજી સાધર્મિકોની સર્વ રીતે ભકિત કરી સ્વપરહિત સાધો એ મંગલ કામના.
આદર્શ પ્રસંગો ભાગ ૭ સંપૂ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org