SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ * 00), એક કે ૨. શત્રુંજય ભક્તિથી રોગનાશ ૧૨ વર્ષનો અરિહંત ચમત્કાર વર્ણવતાં કહે છે કે મારા ઘરનાં બધાંને શ્રી શત્રુંજયના દાદા શ્રી આદિનાથજી પર દૃઢ શ્રધ્ધા છે. મારા કાકીના પગની પાનીમાં પાણી ભરાતું હતું અને ઢીંચણનું દર્દ સખત હતું. ડૉકટરને બતાવી પાણી કઢાવ્યું. વળી પાછું ભરાતું. વૈદ્યની દવા ફરી. કોઇ ફાયદો નહીં. એમ ૬ માસ થઇ ગયા. ઘરેથી બધાંએ પાલીતાણા યાત્રાએ જવા વિચાર્યું. કાકીને મનમાં દુ:ખ કે બધાં સાથે જવાનું તો છે પણ મારે યાત્રા નહીં થાય. બધાં કહે કે તમારે ય જાત્રા કરવાની છે. ત્યારે કાકીએ મનથી નક્કી કર્યું કે જાત્રા કરીશ તો ચડીને જ કરીશ ! પાલીતાણા પહોંચી જાત્રા માટે ધર્મશાળાથી ચાલતા નીકળ્યા. તળેટી પહોચ્યા. દાદાને ભક્તિભાવથી કાકી વિનવે છે, ‘“હે દાદા ! તારા પ્રભાવે આટલે તો આવી ગઇ. તું મને ચઢીને ચઢવા માંડયું. ૩ કલાકે આપ મેળે પહોંચી ગયા !! પૂજા કરી પ્રભુનું ધ્યાન કર્યું. વેદના બિલકુલ ન હતી! સારી રીતે નીચે ઉતર્યા! તે દર્દ ગયું તે પછી ૪ વર્ષમાં કયારેય થયું નથી! દાદાના આ પ્રભાવથી કાકીનો ભક્તિભાવ વધી ગયો. તે દર વર્ષે ૩ વાર શ્રી શત્રુંજયની યાત્રા કરે છે !! યાત્રા કરાવ શ્રી શાશ્વત તીર્થનો આ પ્રભાવ આવા કલિકાળમાં પણ ઘણાંએ અનુભવ્યો છે. આવા તીર્થાધિરાજની તમે ભાવથી યાત્રા કરી આત્માને નિરોગી બનાવો તથા યાત્રામાં કોઇ વિઘ્ન આવી પડે તો આવા પ્રસંગો યાદ કરી દાદા અને કપર્દી યક્ષને ગદ્ગદ્ હૈયે પ્રાર્થના કરી હિંમતથી યાત્રા કરો. વિઘ્ન ટળી જશે !!! ... નૂતન વર્ષનાં પરમ પવિત્ર દિવસે હે ભક્તવત્સલ ! તારા આ ભક્તના હૈયામાં શ્રી શ્રેણિક મહારાજા વગેરે જેવી ઉત્કૃષ્ટ ભક્તિ પ્રગટાવો. s d Se s d d d d Jain Education International ७ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy