SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 996 કે છે ( 8 છે ૨૩. ધર્મપ્રભાવ જાણી ધર્મ વધારો એક નાના માણસની સામાન્ય પ્રસંગે મોટાઈ જાણવા જેવી છે. શ્રી જૈનનગર વગેરે પાઠશાળામાં રાજુભાઇ ભણાવે છે. પગારના રૂા. ૮૦૦/- ખીસામાંથી પડી ગયા. પોતાને ખ્યાલ પણ ન હતો. જેણે પડતા જોયા તે પ્રમાણિક માણસે પાછા આપ્યા. મેલાં કપડાં વગેરેથી તેની ગરીબી દેખાતી હતી. છતાં તેની પ્રમાણિકતા વિચારી રાજુભાઇએ અત્યંત આનંદ પામી બક્ષીસ આપી ! મને રાજુભાઈ કહે “સાહેબજી! પેલા સજજને પાછા ન આપ્યા હોત તો મારા તો આઠસો ગયા હોત. ધર્મપ્રભાવે પાછા મળ્યા. તેથી મારે ધર્મમાં વાપરવા છે !!! આ જૈન આદર્શ પ્રસંગો પુસ્તકોની પાઠશાળામાં બાળકોને પ્રભાવના કરીશ!' કહ્યું, “રાજુભાઇ! તમારી ભાવના સારી છે. પરંતુ તે ગુણવાનની જ કદર કરો. પુસ્તકની પ્રભાવના આ નિમિતે કરવાની જરૂર નથી.” રાજુભાઇ કહે, “તે ભાઇને ઘણો આગ્રહ કર્યો પણ તેમણે પરાણે માત્ર રૂા. અગિયાર જ લીધા. તેથી જ આ સુંદર પ્રેરક પુસ્તક બાળકો વાંચી ધર્મ વધારે એ ભાવના છે. અને ઉત્તમ ભાવ થયા પછી ધર્મ તરત જ કરી લેવો એવી મારી માન્યતા છે.' તેમણે ૫૦ પુસ્તકોની પ્રભાવના કરી ! હે ભાગ્યશાળીઓ ! ગુણીજનની કદર ખાસ કરવી જ જોઇએ. જેથી ગુણીના ગુણની સ્થિરતા, વૃધ્ધિ કરવાનું પુણ્ય મળે અને પરિણામે આપણામાં પણ ગુણો આવવા માંડે! સાથે આપત્તિમાંથી બચીએ, તો ધર્મ વધુ કરવો જોઇએ. રાજુભાઇની વાત કેટલી બધી અનુકરણીય છે કે ગુમાવેલ પૈસા ધર્મ પ્રતાપે મળ્યા તો મારે થોડા પૈસા ધર્મમાં વાપરવા! સૌથી મહત્ત્વની વાત તો એ છે કે શુભ ભાવ જલદી આવતા નથી. તો. જયારે પણ શુભભાવ આવે કે શીધ્ર તેનો અમલ કરવો જેથી આતમાં ઉજળો બને ! હે પ્રભુ! નૂતન વર્ષે પ્રગટતી ખુશાલી સદા માટે આપો ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy