SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ DPT 009ને છે TA ૫. જ્ઞાનદીપકે ધર્મપ્રકાશ ઝગમગાવ્યો (પુસ્તકે અજૈનને જૈન બનાવી દીધી !) એક બ્રાહ્મણ છોકરી જૈનને પરણી. સાસરીના જૈન આચારો તે પણ આચરતી. અમદાવાદમાં સ્વ. પ. પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના “જૈન ધર્મનો સરળ પરિચય'' પુસ્તક પર પરીક્ષા રખાઇ. આ વ્હેને પણ પરીક્ષા આપવા એ પુસ્તક અનેકવાર વાંચ્યું. એ ન્હેન પુસ્તકના અનુભવેલા ઉપકારને વર્ણવતાં કહે છે, ‘‘હું મનથી જૈન બની ન હતી. પણ આ પુસ્તક વાંચતા જૈન ધર્મની મહાનતા સમજાઇ અને ખરેખર હવે જૈન ધર્મ દિલથી સ્વીકારું છું ! બ્રાહ્મણને દ્વિજ અર્થાત્ ૨ વાર જન્મનાર કહે છે. બ્રાહ્મણ એવી મારા ત્રણ જન્મ થયા. જૈન ધર્મની ભાવથી પ્રાપ્તિ એ મારો ત્રીજો જન્મ !!’’ એક ઉત્તમ પુસ્તક કયારેક જીવોને કેટલો બધો મોટો લાભ કમાવી આપે છે ! પરીક્ષાના ઇનામનું લક્ષ્ય હોવા છતાં જો સુંદર પુસ્તક અજૈન એવી સ્ત્રીનું પણ હૃદ્ય-પરિવર્તન કરી દે તો જૈન શ્રાવક એવા તમને માત્ર આત્મહિતની ભાવનાથી ધ્યાનથી ધાર્મિક વાંચન કેટલો બધો લાભ કરી આપે ? તે વિચારી શાસ્ત્ર-અભ્યાસ ખૂબ ખૂબ વધારો. હે પુસ્તક પ્રેમીઓ ! ટી.વી. ના આજના માહોલમાં પણ તમારો પુસ્તકપ્રેમ એ તમારી એક વિશિષ્ટ ઉત્તમતા સૂચવે છે. તમે આ લાયકાતને વધુને વધુ વાંચન દ્વારા વિકસાવી અન્ય ફાલતૂ સાંસારિક અને પાપી પ્રવૃતિઓની રૂચિને નષ્ટ કરવાની એક મહત્ત્વની સાધના દ્વારા ખૂબ જ આત્મહિત સાધો એ અંતરની અભિલાષા, ધર્મવાંચનથી સંસારસ્વરૂપ, આત્મવૈભવ, સત્ય, તત્ત્વ, સ્વહિત વગેરે સમજાવાથી નિર્ભયતા, શાંતિ, આત્માનંદ વગેરે ઘણું મળશે. * હે દેવાધિદેવ ! શાલિભદ્રજી જેવો ગુરુભક્તિભાવ અર્પી * છે (૧) ડો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy