________________
યથાશક્તિ ખૂબ ભાવ અને ઉલ્લાસથી શ્રદ્ધાપૂર્વક કરવી જોઇએ. હે ધાર્મિક ! તમે સુંદર સાધનાથી અનંતા કર્મોનો નાશ કરી ખૂબ આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા.
[૨] શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીએ બચાવ્યો
નાની ત્રણ વર્ષનો લાડકો દીકરો. માંદો પડ્યો. માબાપની ચિંતા વધી. દવા-સારવાર કરી, પણ માંદગી દિવસે દિવસે વધતી ગઈ અને છેવટે બાળક બેભાન અવસ્થામાં (કોમામાં) ચાલ્યો ગયો.
મધ્યપ્રદેશમાં રહેતા મા-બાપે છેક મુંબઈના મોટા મોટા ડૉક્ટરોને બતાવ્યું. પરિણામ શૂન્ય. દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી ગઈ. બેભાન અવસ્થામાં ૨૦ દિવસ પસાર થઈ ગયા. કોઈ ઉપાય સૂઝતો ન હતો.
છેવટે શ્રી શંખેશ્વરજી તીર્થમાં જઈ દાદાને ખોળે બાળકને મૂકી હૃદયપૂર્વક પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરી, “પ્રભુ! તારે શરણે આવ્યા છીએ. તુ દીનદયાળ, કરુણાનિધાન છે. તારી અચિંત્ય કૃપાથી બધું જ સારું થશે.”
મનમાં શ્રદ્ધા હતી, શબ્દોમાં આજીજી હતી, વંદનમાં ભક્તિભાવ હતો. ગદ્ગદ્ દિલથી કરેલી પ્રાર્થના અવશ્ય ફળે જ છે. કૃપાસિંધુ પાસે ખોળો પાથરીને બેઠા હતા. અને...અને...
ત્રણ કલાક પછી બાળકે આંખ ઉઘાડી ! તે ભાનમાં આવતો ગયો. માતા-પિતા તથા સ્વજનોના આનંદનો પાર નહોતો. બાળક ઊગરી ગયો.
આજે તો એ ૨૨ વર્ષનો યુવાન બની ગયો છે. બાળપણનો આ બનાવ માતા-પિતા પાસેથી એણે જાણ્યો છે ત્યારથી એ વારંવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org