________________
૨૩ િશીલરક્ષા માટે પતિનો ત્યાગ
જિનશાસનના ગૌરવભૂત શીલપ્રેમી એ યુવતી આજે પણ ગુજરાતની ભૂમિને પાવન કરી રહી છે. આ સુશ્રાવિકા અમારા સમુદાયના એક મહાતમાના સગા થાય છે. લગ્નના થોડા સમય પછી આ બહેન પતિને સંસ્કારી ભાષામાં કહે છે કે, દુકાને તમારા ગયા પછી આજે પિતાજી રસોડામાં આવી હસતા હતા. અશિષ્ટ ચાળા કરતા હતા... સમજાવીને આ બંધ કરાવો.
પતિએ જવાબમાં કહ્યું કે તું ડરીશ નહિ, પરણીને તાજી આવેલ તને એકલવાયું ન લાગે તે માટે પિતાજી આમ કરે છે. પછી પણ ૩-૪ દિવસ અશિષ્ટ વર્તન વધતાં વારંવાર ફરિયાદ કરી. ત્યારે પતિએ કહ્યું કે જો! વર્ષો પહેલાં મા મરી ગઇ છે. પિતાજી નિરસ જીવન જીવી રહ્યા છે. એમને આનંદ આપવા તારે બધું કરી છૂટવું. મારી તને સંમતિ છે! હોશિયાર એવી આ શીલસંપન્ન યુવતી પોતાની નારાજી છૂપાવી પોતાની પથારીમાં સૂવા ગઇ. ઉંધ આવતી નથી. શીલનાશના જ્ઞાનીઓએ કહેલા અપરંપાર દુઃખો વિચારતી એ પતિ અને સસરાના સૂઇ ગયા પછી ઘેરથી નીકળી પિયર પહોંચી ગઇ. અચાનક આવેલ પુત્રીને જોઇ માતાપિતાએ ઘણા પ્રશ્ન પૂછયા. તેણે જવાબમાં કહ્યું કે હમણાં આપણા ઘરે જ રહેવાની છું. નોકરી શોધી લઇશ. તેથી આપને ભારરૂપ નહીં બનું. સદાચારથી જીવીશ. અત્યારે વધુ ન પૂછતા. પિયરમાં રહી. શિક્ષિકાની નોકરી મળી ગઇ. પતિએ અવારનવાર પત્રો લખી તેડાવી. ન ગઇ. રૂબરૂ તેડવા આવ્યા પણ ન માની. લગભગ ૧૮ વર્ષ બાદ જૈન આદર્શ પ્રસંગો – ૧
[૩૪]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org