________________
૨૧ પિરોપકાર માટે બ્રહ્મચર્ય)
વિજાપુરના કુમારપાલ વી. શાહ. ઘણા એમને ઓળખે છે. આજે તેઓ જે શાસન સેવા, જ્ઞાનભકિત, અનુકંપા આદિ અનેકવિધ સત્કાર્યો કરે છે તેના પાયાનો એક સુંદર પ્રસંગ જોઇએ. ગચ્છાધિપતિ પૂ. આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની અચલગઢની શિબિરમાં તેઓ ગયા હતા. લગભગ ૩૦ વર્ષ પહેલાંનો પ્રસંગ છે. એક દિવસ ભયંકર વાવાઝોડું ફૂંકાયું. પાણીની વજનદાર કથરોટો પણ ઊડવા માંડી. લાઇટો બધી ઓલવાઇ ગઇ. આ ભયંકર આફતમાંથી બધાં બચે એ શુભ ભાવથી એમણે મનમાં સંકલપ કર્યો કે જો દશ મિનિટમાં આ આપત્તિ નાશ પામે તો જીવનભર બ્રહમચર્ય પાળીશ! ભરયુવાન વય, છતાં અનેકોના હિત માટે તેઓ આવું ખૂબ કઠિન વ્રત લેવા તૈયાર થઇ ગયા! અને ખરેખર વાવાઝોડું બંધ થઇ ગયું ! પાછા એ સુશ્રાવક કેવા ધર્મરાગી કે બ્રહ્મચર્ય પાલન સાથે શાસનના કામો વર્ષોમી કરી રહ્યા છે. આપણે તેમની અનુમોદના પૂર્વક રાસનના તથા જીવોની અનુકંપાના યથાશકિત કાર્ય કરી આત્માનું હિત સાધીએ એ જ શુભેચ્છા.
સિાચી ઝંખના ફળી) એ ભાઇની સ્થિતિ સામાન્ય. છતાં દાનનો પ્રેમ ખૂબ. રોજ દાન કરે. વળી રોજ દિલથી પ્રાર્થના કરે કે હે મનોવાંછિતદાતા! રોજ લાખ રૂપિયાનું દાન કરવાની શકિત આપ! થોડાક જ વર્ષોમાં એમનો આ મનોરથ ફળ્યો! આજે એ રોજ લાખનું દાન કરે છે! હૈયાની વાંછના જરૂર સફળ થાય. તમે પણ આવા આત્મહિતકર મનોરથી સેવો અને સુંદર સાધના કરી શીધ્ર શિવગતિ મેળવો એ જ શુભાશિપ.
જૈન આદર્શ પ્રસંગો – ૧
5
5
33 www.jatrettorary.org
Jain Education International
For Personal & Private Use Only