SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ધિર્મપ્રેમી આજના સુશ્રાવકો વઢવાણના રતિભાઇનો બીજો એક સુંદર પ્રસંગ. એમની સુપુત્રીના લગ્ન હતા. જાન ઘરે આવવાની હતી. અણધારી આફતથી રસ્તામાં સમય બગડવાથી ઘરે જાન આવી ત્યારે સૂર્યાસ્તની થોડી જ વાર હતી. રતિભાઇએ વેવાઇ પક્ષને કહ્યું કે તમે જાણો છો કે રાત્રે હું ખાતો નથી. અને કોઇને ખવરાવતો નથી. ચા તૈયાર કરાવી દીધી છે. બધા ચા-નાસ્તો જલદી કરી લો. રાત્રિભોજનનું પાપ કોઇને પણ હું કરવા નહીં દઉં. સગાસ્નેહી સમજાવવા માંડયા કે રતિભાઇ! દીકરીના લગ્નનો પ્રસંગ છે. આટલી કડકાઇ ન ચાલે.. પણ રતિભાઇએ મક્કમતાથી સૂર્યાસ્ત પછી કોઇને જમાડ્યા નહીં! ધર્મનો કેવો દૃઢ પ્રેમ ! આ રતિભાઇ ઇંદોરના હુકમીચંદજીનો માલ લાવી વેપાર કરે. હુકમીચંદજી કરોડપતિ. તેમને વઢવાણમાં એક પ્રસંગે આવવાનું હતું. રતિભાઇએ પોતાને ત્યાં જ ઊતરવાની વિનંતી કરી. સાથે કહ્યું કે શેઠજી ! સૂર્યાસ્ત પછી હું કોઇને પાણી પણ પીવરાવતો નથી. વિમાન લેટ થવાથી વઢવાણમાં સૂર્યાસ્ત પછી એ આવ્યા. રતિભાઇએ જમાડવાની ના પાડી. ભાઇઓ વગેરેએ ખૂબ દબાણ કર્યું કે શેઠ ગુસ્સે થશે. માલ નહીં આપે. માટે એક વાર એમને ખવડાવી દો. ન માન્યા. કહે, “ભલે ધંધો બંધ કરવો પડે પણ હું રાત્રિભોજન નહીં કરાવું.” હુકમીચંદજી કહે કે રતિભાઇ! લવિંગ તો આપો. (તેમને લવિંગની આદત હતી) રતિભાઇ કહે કે શેઠજી! માફ કરો, રાત્રે કશું પણ મારાથી સ્નેહી અપાય. મારો આત્મા ના પાડે છે. રાત્રે જાહેરસભામાં જૈન આદર્શ પ્રસંગો – ૧ જ ઈjો . ૧ ર્ડ ૐ . For Personal & Private Use Only ૨૭ www.jale ordry.org Jain Education International
SR No.005425
Book TitleJain Adarsh Prasango Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy