________________
નાખ્યો. ધર્મ તો ન કર્યો. પણ જૈનોને ન છાજે તેવા ઘણાં પાપથી મારા આતમાને ભ્રષ્ટ કર્યો. વૈરાગ્ય વધતો ગયો ૧ વર્ષ પૂરૂ થયું. માનચંદને અત્યંત આશ્ચર્ય થયું. શર! પ્રમાણે લાખ રૂપિયા આપવા આવ્યો ત્યારે સૌભાગ્યરચંદ કહે કે હે મિત્ર ! તું તો મહાઉપકારી છે. મારા આ દુર્લભ માનવભવને તેં સફળ બનાવી દીધો. તારો ઉપકાર ભવોભવા ભૂલાય એવો નથી. પૈસો તો પાપ કરાવે. મારે લાખ ન જોઇએ. તારા ઉપકારના બદલામાં લાખો રૂપિયા આપું તો પણ ત્રણ ન ચૂકવાય. મેં તો ૨ માસ પછી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે! પછી ખરેખર સૌભાગ્યચંદે દીક્ષા લીધી. માનચંદે તેના દીક્ષા મહોત્સવમાં લાખ રૂપિયા ખર્ચા. દીક્ષા પછી તે મહાતમાં યુવાનો વગેરેને વ્યસનની ભયંકરતા સમજાવતા. પોતાનો જાત અનુભવ કહેતા અને ઘણાંને સન્માર્ગે લાવ્યા. દીક્ષા ખૂબ સુંદર પાળી. આ સાચો પ્રસંગ બધાએ ખૂબ વિચારવા જેવો છે. દીક્ષાની ભાવના છતાં ઘણાં ખોટા ડરથી દીક્ષા લેતા નથી. જો આવા ભયંકર વ્યસનથી ઘેરાયેલા પણ દીક્ષા લઇને સુંદર પાળે છે તો તમે તો ખૂબ ધર્મી છો. ખોટા ડરથી શા માટે આત્મહિતથી પાછા પડો છો? વળી બધાએ સુખી થવા માટે દુષ્ટો અને ખરાબ વાતાવરણનો કાયમ ત્યાગ કરવો જોઇએ. ખરાબ નિમિત્તો સારા સારા આતમાઓને પણ ભયંકર પાપો કરાવે છે. વળી બધાએ સત્સંગ અવશ્ય કરવો જોઇએ. તેનાથી આપણું હિત, અહિત વગેરે બધું જાણવા મળે અને આપણા આતમાને અપરંપાર લાભો થાય.
જૈન આદર્શ પ્રસંગો - ૧
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org