________________
૯િોશિબિરથી સંયમયાત્રા)
એ કોલેજિયન યુવાન વર્તમાન વાતાવરણના કુસંગે ધર્મથી વિમુખ હતો. વેકેશનમાં શિબિર જાણી આબુમાં આનંદ મેળવવા આવ્યો. પ.પૂ. આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. નું મુખ જોઇ વિચારે છે કે આ સાધુની મશ્કરી કરવાની મજા આવશે. છતાં અનંતાનંત ધન્યવાદ છે આ જિનવાણીને! શિબિરમાં આ પ્રભુવચનો સાંભળતા સાંભળતા સંસાર, શાસન વગેરે તત્ત્વોનું અંશે અંશે સમ્યજ્ઞાન થયું. ધર્મમાં આગળ વધતો ગયો. અંતે ભરયુવાન વયે ચારિત્ર પણ લીધું ! એમનું નામ પંન્યાસ શ્રી ભુવનસુંદરવિજયજી. આજે તેઓ સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે.
અનેક ધર્મરહિત યુવાનો આ શિબિર, જિનશાસન, પ્રભુવાણીથી સાધુ, શ્રાવક કે સજ્જન બની ગયા. એમાંના કેટલાક હાલમાં પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ,પૂ.મ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર આદિ બની સુંદર સાધના અને પ્રભાવના કરી રહ્યાં છે. પ્રધાનો,ડોકટરો, ભણેલાઓ વગેરે ઘણાં ખરા લોકો જ્યાં સ્વાર્થ અને સ્વસુખમાં જ ડૂબેલા છે એવા આ હડહડતા કલિકાળમાં પણ શ્રી મહાવીરના આ જિનશાસનને અનંતાનંત ધન્યવાદ કે જે આવા હજારો. આત્માઓને સાચા માર્ગે લાવી આત્મહિત કરે છે !
ભાગ્યશાળીઓ !તમે પણ મહાન પુણ્યોદયે આવું ઉત્તમોત્તમ જિનશાસન પામ્યા છો. તો આ શાસનને ઓળખી હિંમત ને ઉલ્લાસથી એવી સુંદર ધર્મ આરાધના કરો કે શીધ્ર શિવગતિ સાંપડે એ જ સદા માટે શુભાભિલાષા.
જૈન આદર્શ પ્રસંગો – ૧
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
૧૭ www.jaintenraly.org