________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦
ઓળખેલી. આવી ગાયથી તે શું બીએ ! ગાય પાસે આવતાં જ કર્યો તરવારનો ઘા. ગાયનું માથું જુદું !
સ્ત્રીથી આ જોયું ન ગયું. ગાળોનો વરસાદ વરસાવવા લાગી. ધમપછાડા કરતી સામી દોડી. બિચારીને શું ખબર કે તેનો પણ કાળ આવ્યો છે. લૂંટારો ભાન ભૂલ્યો હતો. એણે સ્ત્રીને માથે કર્યો ઘા. માથું ને ધડ જુદાં. ગર્ભવતી સ્ત્રી ઢગલો થઈ હેઠી પડી. સ્ત્રી ને બાળક બંને ઠાર.
જ્યાં આ હત્યા થઈ ત્યાં દઢપ્રહારીને અરેકારો થયો. અરે! મારા હાથે ચાર હત્યા! બ્રહ્મહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્ય ને બાળહત્યા ! અરરર! મેં શું કામ કર્યું? ધિક્કાર છે મને !”
તે લૂંટ પૂરી કરી નગર બહાર નીકળ્યો, પણ પેલી હત્યાઓ નજર સામે તર્યા જ કરે. તેનું હૃદય ખૂબ વલોવાયું. જમ જેવો દઢપ્રહારી ઠંડોગાર બની ગયો.
ચાલતાં ચાલતાં વનમાં આવ્યો. ત્યાં જોયા એક સાધુ મુનિરાજ. તે સમતાનો ભંડાર, પ્રેમની મૂર્તિ. એમને જોતાં જ દૃઢપ્રહારીનું હૈયું ભરાઈ આવ્યું. તેમનાં ચરણમાં પડી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો.
મુનિ બોલ્યા : હે મહાનુભાવ ! શાંત થા. આટલો શોક શેનો છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org