________________
મહાત્મા દઢપ્રહારી
૩૧
ت
ن
.ن.ت.
.
.
દૃઢપ્રહારી બોલ્યો પ્રભો ! હું મહાપાપી છું. મારે માટે જગતમાં સ્થાન નથી.
મુનિ કહે, ભાઈ ! નિરાશ ન થા. પાપીમાં પાપીને માટે પણ આ જગતમાં સ્થાન છે. કરેલી ભૂલો સંભારી રોદણાં ન રો. શાંતિથી તારા જીવનનો વિચાર કર. અને તેનો અમલ કરવા લાગી જા.
દૃઢપ્રહારી કહે, પ્રભો ! હું મહાપાપી છું. મારા હાથે આજે ચાર હત્યાઓ થઈ છે. હવે મારું શું થશે.
મુનિ કહે, ભાઈ ! ગભરાઈશ નહિ. સાધુજીવનની દીક્ષા લે. સંયમ અને તપનું આરાધન કર. લાગેલાં પાપ નિવારી નાખ. પશ્ચાત્તાપ કર. તારી કાયાનું કલ્યાણ થશે.
દઢપ્રહારીએ હથિયાર છોડ્યાં. લીધી દીક્ષા અને તે જ વખતે નિશ્ચય કર્યો. જ્યાં સુધી આ ચાર હત્યા યાદ આવે ત્યાં સુધી અન્ન કે પાણી લેવાં નહિ. દઢપ્રહારી શયતાન મટી સંત થયા.
ગયા પેલા નગરને દરવાજે. ધ્યાન ધરીને ઊભા રહ્યા. લોકો આવે, જાય ને વાતો કરે :
એ મહાદુષ્ટ છે. ભંડાં કામનો કરનાર છે. મારો, એ હત્યારાને !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org