________________
મહાત્મા દૃઢપ્રહારી
દિવસના પણ તાકડા નહિ. મૂડીમાં એક વસૂકેલી ગાય.
તેવામાં આવ્યો તહેવાર. એટલે છોકરાંઓએ કર્યો કજિયો. બાપા ! ખીર ખાવી છે.' બ્રાહ્મણે તેમને ખૂબ સમજાવ્યાં, પણ બાળક શું સમજે ? એટલે તે થોડો ઘેર ફર્યો. દૂધ, ચોખા ને સાકર એકઠાં કર્યાં. તેની રંધાવી ખીર. પછી સ્ત્રીને કહ્યું ખીર તૈયાર થાય એટલે ઉતારજે. હું નદીએ નાહીને આવું છું. બ્રાહ્મણ ગયો નાહવા.
૨૯
એવામાં દૃઢપ્રહારીની ધાડ આવી. લોકો ત્રાસ પામ્યા. નાસવા લાગ્યા. બધા ચોરો જુદાં જુદાં ઠેકાણે લૂંટવા લાગ્યા. એમાં એક ચોર બ્રાહ્મણને ઘેર આવ્યો. ત્યાં લૂંટવાનું શું મળે ? એવામાં બરાબર તૈયાર થયેલી ખીર જોઈ.
ચોરે ખીર ઉપાડી. છોકરાં કકળવા લાગ્યાં. એવામાં આવ્યો બ્રાહ્મણ. જુએ તો ચોરે ખીર ઉપાડેલી ને છોકરાં ઊભાં કકળે. બ્રાહ્મણને ચડ્યો કાળ. એટલે હાથમાં લીધી ભોગળ (કમાડ આડી દેવાની)ને મારવા દોડ્યો. થઈ મારામારી.
આ બંને મારામારી કરે છે ત્યાં આવ્યો દ્રઢપ્રહારી. તેણે મારી તલવાર કે બ્રાહ્મણનું માથું જુદું. છોકરાંઓએ ચીસ પાડી. સ્ત્રી ઊભી થરથરવા લાગી. ફળીમાં બાંધેલી ગાય. તેનાથી આ ન ખમાયું એટલે આવી ઉફારાંટે. પૂંછડું કર્યું ઊંચું ને મારી દોટ સીધી દૃઢપ્રહારી સામે.
પણ દૃઢપ્રહારી વજ્ર છાતીનો. બીકને જિંદગીમાં નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org