________________
२८
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦
માંહી વાતો કરવા લાગ્યા. આ નવલોહિયો જુવાન છે. માતાને ભોગ દેવામાં કામ આવશે.
પેલા ભીલો દુર્ધરને લઈ ગુફામાં પેઠા. અંધારામાં ચાલવા લાગ્યા. થોડી વારમાં અજવાળાવાળી જગ્યા આવી. ત્યાં એક લઠ્ઠ ભીલ બેઠેલો. જાણે જમનો જ અવતાર. તેની પાસે એક સ્ત્રી બેઠેલી. તે પણ ખૂબ કદાવર. તેણે શરીરે એક જ કપડું પહેરેલું. ગળામાં ને હાથમાં શંખનાં, કોડીનાં, પથ્થરનાં તથા રૂપાનાં ઘરેણાં. આ બન્ને ભીલના રાજારાણી.
રાજાએ દુર્ધરને જોયો. તેણે લક્ષણથી પારખ્યો કે જુવાન છે બળિયો. વળી છે છાતીકઢો. પોતાના ધંધામાં દીપી નીકળે એવો છે. તેણે પૂછ્યું : કેમ ! તારો શો વિચાર છે? દુધરે કહ્યું : આપની સાથે રહેવું ને આપનો ધંધો કરવો. ભીલ રાજાએ રાજી થઈને તેને પોતાની પાસે રાખ્યો.
દુર્ધર ધીરે ધીરે સહુને વહાલો થયો. ભીલ રાજાએ તેને પુત્ર બનાવ્યો અને પોતાની બધી મિલકત સોંપી.
દુર્ધર મોટી મોટી ચોરીઓ કરે. તેમાં કોઈ સામું થાય તો માર્યું જાય. તેનો પ્રહાર કદી ફોક ન જાય. એટલે નામ પડ્યું દૃઢપ્રહારી.
એક વખત મોટી ધાડ લીધી. ગયો કુશસ્થળ નગર લૂંટવા. ત્યાં એક બ્રાહ્મણનું કુટુંબ. બિચારું ખૂબ ગરીબ, ઘરમાં એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org