________________
વસ્તુપાળ – તેજપાળ
તો જરૂર જોજે.
આ ઉપરાંત તેમણે બીજાં પણ ઘણાં મંદિરો ને ઉપાશ્રયો બાંધ્યાં. ઘણા પુસ્તકના ભંડારો તૈયાર કર્યા. શંત્રુજય ને ગિરનારના બાર વખત તો સંઘ કાઢ્યા. એ સંઘ એટલા મોટા હતા કે આપણને તો તેનો ખ્યાલ પણ ન આવે. એક સંઘમાં તો સાત લાખ માણસ હતા.
એ ભાઈઓની સખાવત કેવળ જૈન માટે કે કેવળ ગુજરાતીઓ માટે જ નહોતી. તેમણે એકેએક ધર્મવાળાને અને હિંદુસ્તાનભરમાં સખાવતો કરેલી છે. કેદારથી કન્યાકુમારી સુધી એવું એક પણ નાનુંમોટું તીર્થ નથી કે જ્યાં આ ભાઈઓની સખાવત ન થઈ હોય. સોમનાથ પાટણમાં દર વર્ષે દસ લાખ ને કાશી-દ્વારિકા વગેરે ઠેકાણે એક લાખ મોકલાવતા. તેમણે શિવાલયો ને મસ્જિદો ઘણી ચણાવી છે. વાવ, કૂવા ને તળાવ પણ બેસુમાર બાંધ્યાં છે.
૨૩
આ બંને ભાઈઓના કુશળ કારભારમાં પ્રજા સુખી હતી. રાજ્યમાં બંદોબસ્ત સુંદર હતો. બધા ધર્મના લોકો પોતપોતાનો ધર્મ સુખે પાળતા. દેશમાં દુકાળનું નામ નહોતું.
હવે રાણો વીરધવળ મરણ પામ્યો. આ ભાઈઓએ તેની ગાદી તેના પુત્ર વિસલદેવને આપી, ને પોતે પહેલાંની માફક રાજકારભાર
કરવા લાગ્યા.
હવે અંતકાળ નજીક આવે છે એમ વસ્તુપાળને લાગ્યું એટલે તેમણે બધાની સાથે શત્રુંજયની યાત્રાનો સંઘ કાઢ્યો. રાજા વિસલદેવ અને રાજગોર સોમેશ્વર આંસુ પાડતા જુદા પડ્યા.
રસ્તામાં તેમને મંદવાડ થયો અને તે મરણ પામ્યા. તેમના શબને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org