________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦
.ت.ت.تون
.ت.
કર્યે જ જતા હતા, અને બનતું પણ એમ જ કે જેમ જેમ તેઓ ધન વાપરે તેમ તેમ ધન વધ્યા જ કરે. આથી બંને ભાઈઓ વિચાર કરવા લાગ્યા: આ ધનનું શું કરવું?
એક વાર તેઓ સંઘ કાઢીને જાત્રાએ જતા હતા. રસ્તામાં ખબર પડી કે આગળ લૂંટારાઓ છે, આથી પાસે રહેલું ધન તેઓ એક રાતે જંગલમાં દાટવા ગયા. ખાડો ખોદવા લાગ્યા ત્યાં અંદરથી ધનના ચરુ મળ્યા.
ધન ઓછું કરવા ચાહ્યું, તો ઊલટું વધ્યું.
તેજપાળની સ્ત્રી અનુપમાદેવી બુદ્ધિનો ભંડાર હતી. સહુએ તેની સલાહ પૂછી. તેણે જવાબ આપ્યો કે આ ધન પૃથ્વીમાં ન દાટો. એને પહાડના શિખર પર મૂકો, જેથી સહુ જોઈ શકે, પણ લઈ ન શકે. અર્થાત્ ત્યાં સુંદર દેરાં બંધાવો.
આ સલાહ બધાને ગમી એટલે શત્રુંજય, ગિરનાર ને આબુ પર ભવ્ય દેરાં બંધાવ્યાં. એમાંય આબુના દેરાસરો બંધાવતાં તો તેમણે ખર્ચ માટે પાછું વળીને જોયું જ નથી.
તેમણે સારામાં સારા કારીગરો બોલાવ્યા. કોતરણી એવી સુંદર કરાવી કે એ કરતાં ભૂકો પડે તેટલું સોનું અને રૂપું ખર્ચાયું. આ દેરાસરો જલદી પૂરાં કરાવવા માટે પોતાના તરફથી રસોડું ખોલ્યું ને શિયાળામાં દરેકની પાસે સગડી મૂકવાની ગોઠવણ કરી.
આશરે બાર કરોડ રૂપિયાના ખર્ચે એ દેરાસર તૈયાર થયાં, જેનો જોટો આજે જગતમાં નથી. વિમળશાહનાં દેરાંની પાસે જ એ દેરાસરો આવેલાં છે. પ્રિય વાચક ! એ દેલવાડાનાં દેરા જિંદગીમાં એક વખત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org