________________
વસ્તુપાળ-તેજપાળ
૨૧
તેમને પુષ્કળ સોનું ને ઝવેરાત હાથ લાગ્યાં. કહે છે કે એની કિંમત ત્રણ અબજ જેટલી થઈ.
એક વખત દિલ્હીનો બાદશાહ મોજદીન ગુજરાત પર ચડાઈ લાવ્યો. આ ભાઈઓને ખબર પડતાં તેઓ પોતાનું લશ્કર લઈને આબુ સુધી સામે ગયા. ત્યાં ખૂનખાર લડાઈ કરી ને મોજદીનના હજારો માણસોનો સંહાર કરી નાખ્યો. બિચારો મોજદીન બાદશાહ હતાશ થઈને પાછો ગયો.
આ બધી લડાઈઓ પછી તેમણે સમુદ્રકિનારા તરફ ચડાઈ કરી ને ત્યાં મહારાષ્ટ્ર સુધી પોતાની આણ ફેલાવી.
આ પ્રમાણે બંને ભાઈઓએ નાનાંમોટાં ઘણાં યુદ્ધ કરીને ગુજરાતની સત્તા બરાબર જમાવી. ચારે બાજુ શાંતિ ને વ્યવસ્થા સ્થાપી વિજયનો ડંકો વગાડ્યો. જાત્રાળુઓ નિરાંતે જાત્રા કરવા લાગ્યા. વેપારીઓ દેશપરદેશ વેપાર માટે નિરાંતે જવા લાગ્યા. આખા દેશમાં સરબંદોબસ્ત કર્યો. ચોરચખારનો ભય ગયો.
આ બંને ભાઈઓ લડાઈમાં ને રાજકાજમાં જેવા કુશળ હતા તેવા જ ધર્મમાં અડગ શ્રદ્ધાવાળા હતા. તેઓ આઠમચૌદશનાં તપ કરતા. સામાયિક-પ્રતિક્રમણ પણ નિયમિત કરતા. ધર્મબંધુ તરફનો પ્રેમ તો તેમને અથાગ હતો. વરસદિવસે એક ક્રોડ રૂપિયા ધર્મબંધુઓને માટે ખર્ચવાનું તેમણે વ્રત લીધું હતું.
તેમની ઉદારતાનો કાંઈ સુમાર નહોતો. તેઓ છૂટે હાથે દાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org