________________
વસ્તુપાળ – તેજપાળા
તેરમા સૈકાની વાત છે. ગુજરાતમાં સોલંકી રાજાઓની સત્તા નબળી પડી ગઈ હતી. રાણા વિરધવળની સત્તા જામતી હતી.
રાણા વીરધવલના આશરાજ નામે એક મંત્રી હતા. તેઓ સુહાલક ગામમાં રહેતા હતા. કુમારદેવી નામે એક ગુણિયલ સ્ત્રી હતી. તેનાથી ત્રણ દીકરા ને સાત દીકરીઓ થયાં. દિીકરાનાં નામ મલ્લદેવ, વસ્તુપાળ ને તેજપાળ.
દિીકરીઓનાં નામ જાહૂ, માઉ, સાઉ, ધનદેવી સોહગા, વયજુ ને પદ્મા.
આશરાજ મંત્રીએ બધાં દીકરાદીકરીને સારી રીતે ભણાવ્યાં. એમાં વસ્તુપાળ ને તેજપાળ સહુથી વધારે ઝળક્યા. તેમને વિદ્યા પર અથાગ પ્રેમ. કળા પર ઊંડી પ્રીતિ. ધર્મ પર અડગ શ્રદ્ધા. આ બે ભાઈની બેલડી સહુના મનનું હરણ કરતી, સહુના પર પ્રભાવ પાડતી.
તેઓ ઉંમરલાયક થયા એટલે પિતાએ ગુણવાન કન્યાઓ પરણાવી. વસ્તુપાળને લલિતા ને તેજપાળને અનુપમા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org