________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦
*
*
જાજવલ થી ૩૦
થોડા વખત પછી પિતા મરણ પામ્યા. પિતૃભક્ત પુત્રોને આથી ખૂબ દુઃખ થયું.
તે દુઃખ ભૂલવાને તેઓ ગુજરાતના માંડલ ગામે આવીને વસ્યા. માતાની ખૂબ સેવાભક્તિ કરવા લાગ્યા. અહીં પોતાના સારા આચરણથી તેઓએ થોડા વખતમાં સારી નામના મેળવી.
થોડા વખત પછી પ્રેમાળ માતા પણ ગુજરી ગયાં, એટલે તેમને ખૂબ શોક થયો. તે શોક દૂર કરવા તેઓ શત્રુંજયની યાત્રાએ ગયા.
પવિત્ર તીર્થ શત્રુંજયની યાત્રા કરતાં કોનું મન શાંત ન થાય ? તેના પવિત્ર વાતાવરણથી આ બંને ભાઈઓનો શોક દૂર થયો. ત્યાંથી તેઓ પાછા ફર્યા. પાછા ફરતાં રાજસેવાની ઇચ્છાથી રસ્તામાં ધોળકા ગામે રોકાયા. અહીં તેમને રાજગોર સોમેશ્વર સાથે ભાઈબંધી થઈ.
આ વખતે ગુજરાતની સ્થિતિ બહુ ખરાબ હતી. રાણો વરધવળ વિચાર કરે છે, જો કોઈ બાહોશ પ્રધાન ને બાહોશ સેનાપતિ મળી જાય તો મારા મનોરથ ફળે.
રાજગોરે જાણ્યું કે રાણાજી પ્રધાન ને સેનાપતિને શોધવાની ચિંતામાં છે. એટલે તે રાજા પાસે ગયા ને વાત કરી :
“મહારાજ ! ચિંતા દૂર કરો. જેની આપ શોધ કરી રહ્યા છો એવા બે રત્નો આ નગરમાં આવેલાં છે. તેઓ ન્યાય આપવામાં નિપુણ છે. રાજ ચલાવવામાં કુશળ છે. તેઓ જૈન ધર્મના ધોરી છે, પણ સર્વ પર સરખી પ્રીતિ રાખનાર છે. માટે આપ આજ્ઞા આપતા હો તો તેમને આપની આગળ હાજર કરું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org