________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ - - - -
- આચાર્યશ્રી હેમચંદ્ર પ્રભુ ૮૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી બન્યા. આ ઘા મહારાજાને કારી લાગ્યો. તેઓ હૈયાફાટ રુદન કરવા લાગ્યા. સહુએ તેમને સાંત્વન આપ્યું ને કહ્યું કે આવા મહાત્માઓના મૃત્યુ માટે વિલાપ યોગ્ય નથી. તેઓ તો બંધનથી છૂટી ઉચ્ચ ગતિ પામ્યા.
આ વેળા મહારાજાએ રડતાં રડતાં કહ્યું : પોતાનાં પુણ્યથી ઉચ્ચ લોક પ્રાપ્ત કરનાર ગુરુના મૃત્યુનો શોક હું કરતો નથી; પણ આ સર્વથા છોડવા લાયક સપ્તાંગ રાજ્યનો વિચાર કરું છું, જેને કારણે આચાર્ય ભગવાને રાજપિંડ માની મારું અન્નપાણી પણ તેમના અંગે અડાડ્યું નહિ. ધિક્કાર છે એવા મને ! ધિક્કાર છે મારી રિદ્ધિસિદ્ધિને
છ મહિના બાદ પરાક્રમી, ધર્મપ્રેમી, ગૂર્જર ચક્રવર્તી મહારાજા કુમારપાળ પણ ગુજરી ગયા.
માણસને માથે મોત તો છે જ, પણ સારાં કામ કરનાર માણસ અમર બની જાય છે. એમનો યશદેહ અનંતા કાળ સુધી ચિરંજીવ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org