________________
મહારાજા કુમારપાળ
જૈન મંદિર બનાવ્યું.
પોતાને કરંબ ખવરાવનાર સ્ત્રીનું નામઠામ તેઓ જાણતા નહોતા, છતાં તેના કલ્યાણ માટે કરંબવિહાર બંધાવ્યો.
કહે છે કે સંકલ્પપૂર્વક જૂ મારવાના અપરાધમાં એક ધનવાન શેઠ પાસે યૂકાવિહાર બનાવરાવ્યો. જીવ નાનો હોય કે મોટો, જો ઇરાદાપૂર્વક તેની હત્યા કરવામાં આવે તો તે હિંસા જ છે.
મહારાજા કુમારપાળે કુલ ૧૪૦૦ જૈન મંદિરો બંધાવ્યાં. બીજાં મંદિરોની તો સંખ્યા જ નથી !
મહારાજા કુમારપાળની ઇચ્છા પૃથ્વીને ઋણમુક્ત કરવાની હતી. તે માટે તેઓએ સાંભળ્યું હતું કે આચાર્ય મહારાજના ગુરુશ્રી દેવચંદ્રાચાર્ય સુવર્ણસિદ્ધિ જાણે છે. તેઓએ તે માટે વિનંતી કરી, તો વડા ગુરુ બોલ્યાઃ “તારાં પુણ્યકાર્યોથી આ લોક ને પરલોક સફળ થઈ ગયાં છે. હવે આની ઇચ્છા ન કરીશ.”
મહારાજાનું મન ધર્મમાં ખૂબ ઊંડું ઊતરી ગયું. છતાં રાજકારભારમાં જરા પણ ખલેલ ન પડી. ઊલટું કારભાર સારો ચાલવા લાગ્યો. સાત વ્યસન છોડ્યાં. કર્ણાટક, ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ, સિધુ, ઉચ્ચ, ભંભેરી, મરુદેશ, માલવ, કોંકણ, કીર, જાંગલક, સપાદલક્ષ, મેવાડ, દિલ્લી ને જાલંધર - આટલા દેશોમાં એમણે પોતાની આણ વર્તાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org