________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૧૦ - - - - કરનારા જ મરાયા. રાજા જયસિંહનો ચાહડ નામનો દત્તક પુત્ર હતો. એ હાથીની લડાઈમાં કુશળ હતો. એ બીજાની મદદ લઈને ચડી આવ્યો. મહારાજા કુમારપાળ પોતે હાથી પર મેદાનમાં આવ્યા ને તેને હરાવ્યો. આ રીતે કોંકણના મલ્લિકાર્જુનને પણ હરાવ્યો. રાજકાજની લડાઈઓ દસ વર્ષ સુધી ચાલી, પણ વીર કુમારપાળ બધામાં ફતેહમંદ નીવડ્યા.
મહારાજા કુમારપાળનું ચિત્ત હવે ધર્મ તરફ વળ્યું. આ વખતે મંત્રીરાજ ઉદયને આચાર્ય મહારાજની યાદ આપી. તરત જ મહારાજાએ કહેવરાવ્યું કે આપ પૂજા વખતે અવશ્ય પધારો. આચાર્ય મહારાજે કહ્યું: ‘અમે માગીને ખાઈએ છીએ, મળે તે વસ્ત્ર પહેરીએ છીએ, જમીન પર સૂઈએ છીએ. અનગાર (ઘર વગરના) કહેવાઈએ છીએ. અમારે રાજાનું ને રાજદરબારનું શું કામ !”
આ વખતે મહારાજા કુમારપાળે ગદ્ગદ કંઠે કહ્યું: “આ લોકની તો ઠીક, પણ પરલોકની સાધના માટે હું આપનો સહવાસ ઇચ્છું છું.” - આચાર્ય મહારાજે રાજાની વિનંતીનો સ્વીકાર કર્યો. એમને લાગ્યું કે અહિંસા ને પ્રેમનો પ્રચાર રાજા દ્વારા વિશેષ થાય. દરબારમાં જવા માંડ્યું. કેટલાક તેમનો દ્વેષ કરવા લાગ્યા, પણ આચાર્ય મહારાજ જ્ઞાની, ઉદાર ને વિચક્ષણ હતા. ધીરે ધીરે બધા તેમને માન આપવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org