________________
મહારાજા કુમારપાળ
કેટલોય વખત માળવામાં ગાળ્યો. એવામાં ખબર આવ્યા કે રાજા જયસિંહ સિદ્ધરાજ ગુજરી ગયા. આ સમાચાર મળતાં એ પાટણ આવ્યો. એક કંદોઈ પાસેથી કાંઈક માગીને ખાધું. પાટણમાં એના બનેવી કાન્હડદેવ હતા. રાતે એમને મળ્યો.
ભયંકર રાજખટપટ ચાલતી હતી. કુમારપાળ પરાક્રમી હતો, પ્રજાનો પાળનાર હતો, ન્યાયનો કરનાર હતો, એ બધા મંત્રીઓ ને સામંતો જાણતા હતા. બનેવી કાન્હડદેવે એને મદદ કરી. કુમારપાળે ઉઘાડી તલવારે પોતાની બહાદુરીથી સિંહાસન કબજે કર્યું. પુરોહિતે મંગળ વચન ઉચ્ચાર્યા. નોબતો ગાજી ઊઠી.
પૂરી પચાસ વર્ષની ઉંમરે કુમારપાળ રાજા બન્યા. આચાર્ય મહારાજની વાણી ફળી.
રખડતા રઝળતા કુમારપાળ મહારાજા બન્યા. ગુજરાતનું રાજ તેમને મળ્યું. એમણે દુનિયાના રંગઢંગ, જીવનનાં સુખદુઃખ ને વખતની તડકી-છાંયડી જોઈ હતી. સિંહાસન પર બેસતાંની સાથે પ્રજાને પુત્રની જેમ પાળવા માંડી. આચાર્ય મહારાજને પોતાના ગુરુ બનાવ્યા. ઉદયન મંત્રીને વડીલ મંત્રી અને તેમના પુત્ર વાગભટને મહામાત્ય બનાવ્યા.
આ વખતે કેટલાક જૂના પ્રધાનોએ તેમને મારી નાખવાનું કાવતરું કર્યું, પણ ખાડાના ખોદનાર જ ખાડામાં પડ્યા. કાવતરાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org