________________
મહારાજા કુમારપાળ *
* * એક વાર મહારાજાએ આચાર્યશ્રીને પૂછયું હે પ્રભુ! જગમાં મારો જશ કેમ પ્રસરે? અને કાળના છેડા સુધી કેમ ટકે?’
આચાર્ય મહારાજે કહ્યું : “કાં તો સોમનાથ મહાદેવના મંદિરનો ઉદ્ધાર કરો; કાં વિક્રમ રાજાની જેમ પૃથ્વી પરથી માણસમાત્રનું દેવું દૂર કરો.” - સૌરાષ્ટ્રમાં સાગરકાંઠે આવેલું, સોમનાથ પાટણનું શિવમંદિર લાકડાનું હતું. દરિયાના પાણીની છોળો લાગવાથી એ જીર્ણ થઈ ગયું હતું. મહારાજા કુમારપાળે એનો ઉદ્ધાર શરૂ કર્યો. આખું મંદિર પથ્થરથી બાંધવા માંડ્યું. અજબ નકશી ઉતારવા માંડી. લોકો આચાર્ય મહારાજની ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા : કેવો સવધર્મસમભાવ !
આ વખતે કુમારપાળને આચાર્યશ્રીએ કહ્યું, કે સારા કામમાં સો વિઘ્ન આવે. માટે આ મંદિર નિર્વિને પૂરું થાય તે માટે તમારે મદ્યમાંસ તજી દેવા જોઈએ. રાજાએ તરત જ મદ્યમાંસ છોડી દીધાં.
મંદિર પૂરું થયું, ત્યારે આચાર્યશ્રી પણ ત્યાં પ્રતિષ્ઠામાં હાજર રહ્યા. એટલું જ નહિ, પણ નીચેની પ્રાર્થના બોલ્યા :
“જે કોઈ ધર્મમતમાં, જે કોઈ નામે, તમે જે કોઈ પણ હો, પણ દોષ અને કાલુષ્યથી દૂર એવા એક તમે ભગવાન છો. પુનર્જન્મ પેદા કરનાર રાગદ્વેષ જેના દૂર થયા છે, એ બ્રહ્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org