________________
[ સર્વ કર્મને નાશ કરવાથી આપ સત ચિત ને આનંદરૂપ સિદ્ધપદને પામ્યા છે. ને ઉપચારથી એકત્રીસ ગુણને ધારણ કરનારા બન્યા છે. વર્ણાદિક વીસ ભેદ દૂર થયા છે, આગતિ વગેરે પાંચ ગતિને નિવારી છે.] તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસારા; જિ. અશરીરી ભવબીજ દહાયા, અંગ કહે આચારા. જિ. ૪ [ ત્રણ વેદ-પુવેદ, સ્ત્રીવેદ ને નપુંસકવેદને છેદ કર્યો. સંસારથી અસંગ થયા. અશરીરી થયા, અર્થાત શરીર લેવારૂપ ભવબીજ સારી રીતે બાળી નાખ્યાં. આ અમે કહેતા નથી, પવિત્ર આચારાંગ સૂત્ર કહે છે.] અરૂપી પણ રૂપારેપણુસેં, ઠવણ અનુયોગદારા; જિ. વિષમકાળ જિનબિબ જિનાગમ, ભવિયર્કઆધારા. ૫
| હે જિનેશ્વરદેવ ! આપ અરૂપ થયા છે, પણ રૂપના આરોપણથી આ કળિકાળમાં આપની પ્રતિમા અને આપની વાણી-આગમ ભવી જીવોને આધારરૂપ છે; આ વાતની સાક્ષી અનુગદ્વાર આપે છે.]
મેવા-મીઠાઈ થાળ ભરીને, ખટરસ ભોજન સારા; જિ મંગળ તૂર બજાવત આવે, નરનારી કર થારા. જિ. ૬ [ ક રસવાળાં ભોજન અને મેવા-મીઠાઈના થાળ ભરીને, મંગલ વાજિંત્રો વગાડતાં સ્ત્રી-પુરુષે હાથમાં નૈવેદ્યના થાળ લઈને પ્રભુ પાસે આવે.]
પી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org