________________
XSARF RTA
પોપટીએ આ જોયું ને જ્યારે બીજી પિટી ચારા માટે ગઈ ત્યારે એ ઈડું ત્યાંથી ઉપાડી લીધું. બીજી પિપટી ચણ ચરીને પાછી આવી. જુએ તે માળ ખાલીખમ! એ માતૃસ્નેહથી માથાં પટકવા લાગી.
પેલી પોપટીને દયા આવી અને ઇંડું પાછું હતું ત્યાં મૂકી દીધું. પણ મા-દીકરાને વિયેગ કરાવવાથી દારુણ વિપાકવાળું કર્મ બાંધ્યું.
પિપટીના ઈડામાંથી બે બચ્ચાં પેદા થયાં. એ માતાની સાથે રહીને આનંદ કરવા લાગ્યાં. શાલીના ખેતરમાં દાણ ચણવા લાગ્યાં.
એ ખેતરની સામે એક દેવપ્રસાદ ! - એ દેવપ્રસાદમાં અનેક લે કે દર્શન કરવા આવે, અને ભગવાન સામે ચેનાની ત્રણ ઢગલી કરે. આ બે બચ્ચાંઓને આ ક્રિયા ગમી ગઈ. તેઓ રોજ ચાંચમાં તાંદુલ લાવે, ત્રણ ઢગ રચે; ઢગ ન રચે ત્યાં સુધી એક પણ દાણે પેટમાં ન મૂકે !
આ ચારે પંખી ધીરે ધીરે પ્રભુભક્તિમાં લીન બન્યાં. અને આખરે મરીને રાજા-રાણું તરીકે જન્મ્યાં. ત્યાં બાંધેલાં કર્મ ભેગવી, ચિત્ત ઉદાર રાખી જીવ્યાં. રાણી તે પિટી. એ રાણી જયસુંદરીને પિતાના પુત્રને વિરહ ભેગવ પડે. કરેલાં કર્મનાં ફળ ચાખવાં જ પડે છે. આખરે એ શાશ્વત સુખને પ્રાપ્ત થયાં. જે પ્રાણું એક તિલ માત્ર પણ બીજાને સુખ કે દુઃખ આપે છે; તે ફલદ્રુપ ભૂમિમાં વાવેલા બીજની જેમ પરલોકમાં એવા જ ફળને પામે છે. - શુક પક્ષીઓને ત્રીજે ભવે મોક્ષ મળ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org