SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કદી વ્યંતરીને દોષ ન દે, એ પેાતાનાં પૂર્વ કર્મને દુઃખનું કારણ માને! કનકમાલા જેમ સરલતા બતાવે, દૃઢમતી એમ વિશેષ કાપે ભરાય. એક દહાડા ભયંકર સર્પને મૂકયા, પણ સર્પ પણુ પાતાને દશ દેવાના સ્વભાવ ભૂલી એને ભક્ત થઈને બેઠા. આખરે વ્યંતરી પ્રગટ થઈને વચન માગવા કહ્યું. કનકમાલા કહે ‘મને સાચું જ્ઞાન આપનાર જગદ્ગુરુનું એક મદિર, નિર્માણ કરીદે’ વ્યંતરીએ પ્રભુમ`દિર નિર્માણ કરી દીધું. આ 'દિરના ગાખે ચડીને કનકમાલા એક ઉત્તમ ઋષભપ્રાસાદનાં રાજ દન કરે. આ ઋષભપ્રાસાદ અલૌકિક હતા. એનું તળિયુ સ્ફટિકના શિલાતલથી રચેલું હતું. એની થ’ભાવલી સુવર્ણ, મણિ તે રત્નાની હતી. કમલની શત પાંખડીઓની જેમ કલાકારીગરીથી એ દિવ્ય બનેલું હતું. એની ધ્વજમાલા સુવર્ણદંડથી યુક્ત હતી. એ સુવર્ણદંડ પર એક રત્નદીપ હતા. એના અવિરત પ્રકાશ ભવિકાનાં હૈયાંને અજવાળતા. કેટલેક દિવસે કનકમાલાને કેટલાક અદૃશ્ય અવાજો કણ્ગાચર થવા લાગ્યા. અન્યની જેમ એ ભયભીત ન બની; પણ શાંતિથી અવાજ સાંભળવા લાગી. એ અવાજ કહેતા હતા : - ૨૪નકમાલે ! દીપદાનનું આ ફળ છે. સુવર્ણી, મણિ, ને રત્નમાં મેાહ ન પામીશ. જ્ઞાન, દર્શીન ને ચારિત્ર રૂપી રત્નોને સ્વીકાર!” કનકમાલા આ માટે એક જ્ઞાની મુનિરાજને મળી. મુનિરાજે ખુલાસેા કરતાં કહ્યું : મેઘપુર નગર. મેધરાજા. સુરદત્ત શેઠ. એને ઘેર શીલવતી પત્ની, શેઠને જિનમતિ નામે પુત્રી. એ પુત્રીને ધનશ્રી નામે સખી ! 6 Jain Education International ૩૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy