________________
*
Guly
'
:
કે
છે
.
મેહનીય કર્મ - મેહરૂપ રાજાને ત્યાં ચાર ચાર છે ક્રોધ, માન, માયા ને લોભ. ક્રોધ પૃથ્વીની ફાટ જેવો છે, ઝટ ન પુરાય. માન હાડકા જેવું છે, ઝટ ન નમે; માયા મેંઢાના શિંગડા જેવી, વાંકીચૂંકી છે, ને લેભ કાદવના રંગ સમાન છે, જલદી પાસ ન છૂટે.
આયુષ્ય : આ કર્મના ચાર ભેદ છે. આ કર્મ હોય ત્યાં સુધી દેવ, મનુષ્ય, તિર્યંચ ને નરકની ગતિમાં જીવે વારંવાર ભટકયા કરે છે. આ કર્મ પગમાં પડેલી જંજીર જેવું છે. આયુષ્યની કેદમાં જીવ કેદી હોય, દેહની દીવાલોથી ઘેરાયેલું હોય, ત્યાં સુધી મુક્તિ પામી શકતો નથી.
નામકર્મ : આ કર્મના શુભ અને અશુભ આદિ અનેક ભેદે છે. સારું શરીર–ખરાબ શરીર, સુસ્વર-દુસ્વર, સુનામ-કુનામ વગેરે આ કર્મથી પ્રાપ્ત થાય છે. ચિત્રકાર જેમ સારાં-ખોટાં ચિત્ર બનાવે, એક ચિત્ર એવું બનાવે છે કે એને જોઈ હાથ જોડે, બીજું ચિત્ર એવું બનાવે છે જેના લીધે લોક એના પર થૂકે; બનાવવાનાં સાધને સરખાં છે ફક્ત ભાવના અલગ અલગ છે. એમ આ કર્મ સારબેટા નું કે જીવસ્વભાવનું નિમાર્ણ કરે છે. '
ગોત્રકમ : કુંભાર જેમ નાનામોટા ઘડા, ડાં, 'કલાડાં,
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org