________________
વિદ્યાથી વાચનમાળા-૮ પર્વતની ખીણમાંથી વહી જાય છે. અહીં તેનાં પાણીની ઝડપ ૬૦ થી ૮૦ ફૂટ જેટલી છે. નદીના વહેણને થોડે ભાગ મૃદુ છે. તે પછી પથરાળ જમીનમાં થઈને નદી આગળ ઘસે છે. કાવેરીના સુંદર અને ઝડપી પ્રવાહને અહીંની ખડકાળ જમીન વારંવાર ખાળે છે. કિનારો આ કઠિન છતાં કિનારાની આસપાસ સુંદર ભીનાશવાળા કયારાએ નજરે પડે છે. તેને દેખાવ જાણે ભગવતી કાવેરીએ લીલો કંદોરો ન પહેર્યો હોય, તેના જેવો દેખાય છે.
ધસમસતી, પ્રબળ વેગથી આગળ જતી અને યુવાનીના ઉન્માદથી ઘેલી બનેલી કાવેરી, પગલે પગલે આગળ વધીને મહેસુર રાજ્યમાં પથરાય છે. અહીં મહેસૂર રાજ્ય સરિતા સાથે સંગ્રામ માંડ્યો છે. બારથી વધારે પ્રચંડ પુસ્તાઓ બાંધીને કાવેરીના પાણીને રોકવામાં આવ્યું છે, અને તેમાંથી મહેસુરની ભૂમિને લીલીછમ બનાવી દેવા માટે અસંખ્ય નહેરો દવામાં આવી છે. આ નહેરોની લંબાઈ ૬૯૮ માઈલથી વધારે એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org