________________
વિદ્યાર્થી વાચનમાળા : શ્રેણી આઠમી : ૨૦–૧૬૦
કાવેરી
અને તેના જળધોધ
- - - - હિમાલયનાં ઊંચાં ઊંચાં પવિત્ર ગંગોમાંથી અનેક સરિતાઓ વહે છે; પણ એમાંની ગંગા અને જમના એ આપણી અત્યંત પ્રિય નદીઓ છે. આ નદીઓ પ્રિય હોવાનું કારણ એ છે, કે આપણા દેશના મહાન રત્ન ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન મહાવીર, મહાત્મા બુદ્ધ, પ્રતાપી પાંડવો એ બધાએ એ સરિતાને તીરે ખેલ-કૂદીને, ઉપદેશ આપીને, નદીઓના પ્રદેશમાં વિચારીને પિતાનું પવિત્ર જીવન પૂરું કર્યું છે. “જયજમના મિયા અને જય ગંગા મૈયા’ ની ધર્મગજના સાથે, આજે પણ હજારો માનવીઓ એ પવિત્ર નદીઓનાં જલપાન કરવામાં જીવનની સફળતા માને છે. એવી જ એક દક્ષિણ ભારતની મહાન તેજસ્વી અને પવિત્ર સરિતા કાવેરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org