SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૧૯ જયભટ ૩ જાનાં તામ્રપત્રો ચે. સં. ૧૮૬ આધિન. વ. ૧૫ અપ્રસિદ્ધ આ તામ્રપત્ર બે બે બ્રેન્ચ રોયલ એશિયાટિક સોસાઈટીના સંગ્રહમાંનાં છે અને હાલ તે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમમાં છે. તેની બાબતમાં બીજી કોઈ પણ માહિતી નથી. આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૩ ઇંચ૪૧ ઇંચ છે. બન્ને પતરાંના ડાબી બાજુના ઉપરના ખૂણાના ભાગ કપાઈ ગએલા છે. કડી કે સીલ ઉપલબ્ધ નથી. અમુક અમુક ભાગમાં પતરું કટાઈ ગએલું છે, તેમજ અમુક જગ્યાએ કાણાં પણ પડી ગએલાં તેથી લેખ વાંચવામાં મુશ્કેલી પડે તેવું છે. કેતરનારે ઘણી ભૂલો કરેલી છે અને એક જ અક્ષર જૂદી જૂદી ઢબથી કોતરેલો છે, તેથી વાંચનારને વધુ મુશ્કેલી નડે છે. લિપિ ગુર્જર સમયના જેવી છે અને અક્ષરોનું સરેરાશ કદ ઇંચ જેટલું છે. ભાષા સંસ્કૃત છે અને છેવટના શાપાત્મક લેક શિવાય બધો ભાગ ગદ્યમાં છે. જયભટ ૩ જાનું એક જ બીજું પતરું જાણવામાં છે અને તે સં. ૪૮૬ આષાઢ સુદિનું છે. કીલહોર્નના લીસ્ટ(એ. ઈવો. ૫ એપેન્ડીકસ)માંનાં નં. ૪૦૨ વાળાં તામ્રપત્રો સં. ૪૫૬ નાં ને જયભટ ત્રીજાનાં લખ્યાં છે. પણ તે ખરેખર જયભટ ૨ જાનાં છે, જેથી જયભટ ત્રીજાનાં સંપૂર્ણ તામ્રપત્રો આ પ્રથમ જ જાણવામાં આવેલ છે. તેથી તેમ જ જયભટ ૨ જા પછીના રાજાઓની વંશાવળી મળે છે તેથી આ તામ્રપત્ર ઐતિહાસિક દૃષ્ટિએ બહુજ ઉપયોગી છે. વંશાવળી નીચે મુજબ તેમાંથી ઉપજાવી શકાય છે. પં. ૪ દદ્દ ૧ લો પં. ૭ જયભટ ૧ લે. (૫. ૧૨ ) બાસહાય ૫રમમાહેશ્વર સમધિગત પંચમહાશg ૬૬ ૨ જે. તેને દીકરો (૫. ૧૫) ધરાધર ૫. મા. સમધિગત પંચ. મ. મહાસામત્તાધિપતિ શ્રી જયભટ ૨ જે તેને દીકર (પં. ર૧) ૫. મા. સમ. પં. મહા. મહાસા. શ્રીમદ્ અનિરોલ તેને દીકરો પં ૩૩ સમ. પંચ. મહાસામન્તાધિપતિ શ્રી જયભટ ૩ જે. દાન દેનાર ૫. ૨૧ માં શ્રીમદ અનિલના નામવાળી જગ્યાએ જરા અક્ષરો અપટ છે, છતાં તે નામ નિઃશંક વાંચી શકાય છે. ગુર્જર વંશાવલિમાં આ નામ પ્રથમ જ જાણવામાં આવ્યું છે. પ. ૩૫-૩૬ દાન જે બ્રાહ્મણને આપવામાં આવેલ છે તેની વિગત નીચે મુજબ છે. તે લેહિકક્ષ પથક આહારમાંથી નીકળી આવેલ હતું. તે કૌડિન્યત્ર અને વાજિ માધ્યન્દિન શાખાન બ્રહ્મચારિ હતો. તે દિયનાગને દીકરો હતો. તેનું નામ ચકકસ જાણી શકાતું નથી. ૫, ૩૭ બલિ, ચરૂ વિગેરે ક્રિયા કરવા માટે ભરૂચ જીલ્લામાં આવેલું મન્નાથ નામનું ગામ દાનમાં આપવામાં આવેલ છે. પં. ૪૯-૫૦ દૂતકનું નામ ભટ્ટ શ્રી દેઈય-(પૂરું વંચાતું નથી ) છે. સંવત ૪૮૬ આશ્વિન વ. ૧૫ એમ શબ્દ તેમ જ અંકમાં આપેલ છે. પં. ૫૧ લેખકનું નામ અધૂરું–ગુલેન એમ વંચાય છે. ૫. પર માં સ્વહસ્તે મમ શ્રી જયભટસ્ય એટલા શબ્દો હસ્તાક્ષર સૂચક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy