________________
નં. ૧૧૭ રાજા જયભટ ૨ જાનાં તામ્રપત્રો
ચે. સંવત ૪૫૬ માઘ સુધિ ૧૫ આ લેખ તથા બીજા કેટલાક લેખ નવસારીની સ૨ કાવસજી હાંગીર રેડીમની મદ્રેસાના આસિસ્ટ માસ્તર મી. શેરીઆરજી દાદાભાઈ ભરૂચાએ મને પ્રસિદ્ધ કરવા માટે આપ્યા હતા. એ લેખ નવસારીમાં કોઈ પાયા ખોદતાં મળી આવ્યા હતા.
આ લેખ બે પતરાં ઉપર છે. તે દરેક ૧૨ “પહેલું અને ૯” ઉંચું છે. કાંઠા મોટે ભાગે રહેજ જાડા રાખી અંદરની બાજુએ વળ્યા છે, જેથી લેખનું રક્ષણ થઈ શકે. બીજા પતરાની શરૂઆતમાં પહેલી પંક્તિને પહેલો અક્ષર તથા બીજા અક્ષરના થોડા ભાગવાળા હાને ટુકડો ભાંગી ગયો છે. અને એ જ પતરામાં એજ બાજુએ નીચલા ભાગમાંથી ૪“3અને ૪રૂ”ની બાજુઓવાળે એક ત્રિકોણાકાર જેવડે ટુકડે ભાંગી જઈ ખોવાઈ ગયે છે. પરંતુ લગભગ બધાય નાશ પામેલા અક્ષરો પૂરા પાડી શકાય છે. પતરાં જ્યારે પહેલાં મારા હાથમાં આવ્યાં ત્યારે તેના ઉપર તેના જેટલો જ જાડે કાટને થર જામ્યા હતા અને એક અક્ષર પણ કોઈ થળે જાણી શકાતું નહોતું. પરંતુ તે સાફ કરી આ લેખ સુવાચ્ય કરવામાં હું ફત્તેહમંદ થયો છું લેખ પતરાંની પહોળાઈમાં આડે લખ્યું છે. બે કડીઓ માટે કાણું છે, પણ કડીઓ તથા તેમાના એક ઉપર મુદ્રા હોવી જોઈએ તે ખવાઈ ગયાં છે. ભાષા આઘોપાંત સંસ્કૃત છે. છેલ્લી પંકિતમાં આપેલી સાખ સિવાય, લિપિ ગુજરાતમાં મળી આવેલાં ચાલુક્ય અને રાષ્ટ્રક્ટનાં સાતમા સૈકાનાં દાનપત્રો જેવી છે. આ જાતની લિપિ ચોથા સૈકાની દક્ષિણ-હિન્દની બાળાક્ષરી ઉપરથી બનેલી છે, અને તે જ સમયની જૂની નાગરીથી ઘણે અંશે જાદી છે. પરંતુ ૪૪ મી પતિમાં સાખની લિપિ દાનપત્રની લિપિ કરતાં તદ્દન જાદી છે, તે સાતમા સૈકાની નાગરી લિપિ છે. આ લિપિ કદાચ તે વખતે ગુજરાતમાં વપરાતી ચાલુ હસ્તાક્ષરોની હશે.
આ લેખ જયભટ ૨ જાના સમયને છે. દાનપત્ર કાયાવતારની છાવણીમાંથી કાઢ્યું છે. આ સ્થળ ભરૂચ ડિસ્ટ્રિકટના જંબુસર તાલુકાના કવિનું સંસ્કૃત રૂપ માનવાને પ્રબળ ઈચ્છા થાય છે. તેમાં જયભટે કેરિલા “પથક” અગર પેટા-ભાગમાં આવેલાં શમીપદ્રક ગામમાં ૬૪
નિવન”ના માપનું એક ખેતર દાનમાં આપ્યાનું લખ્યું છે. કેરિલા એ ભરૂચની ઈશાન કેણમાં લગભગ ૧૦ માઈલ પર આવેલું હાલનું ‘કોરલ' જણાય છે. શમીપદ્રક અને ગેલિકા જે ખેતરની સીમાના વર્ણનમાં બતાવ્યું છે,-એ હાલ ઓળખાવવાને હું તૈયાર નથી. દ્રાહદ્ધ. જે પણ એ જ સંબંધમાં આપ્યું છે, તે પંચમહાલમાં ગોધરા પાસેનું હાલનું દેહદ હશે. ગિરિનગર, જે દાન લેનારના મૂળ વતન તરીકે બતાવ્યું છે, તે કાઠિવાડને હાલને ગિરનાર છે. અદ્ધિકનું અપ્રહાર ગામ, જે દાન લેતી વખતે તેનું નિવાસસ્થાન હતું તે હાલ ઓળખી શકાતું નથી.
કેઈ અજ્ઞાત સંવતના વર્ષ ૪૫૬ના માઘની પૂર્ણિમાને દિવસે થયેલા ચંદ્રગ્રહણુસમયે આ દાન આપ્યું હતું, અને ૪૩ મી પંક્તિમાં લેખ લખાય તે દિવસ અને દાન અપાયું તે દિવસનું નામ સોમવાર (અથવા મંગળવાર) લખ્યું છે. આ તારીખ કયા સનની છે તે પ્રશ્ન હવે આપણે વિચારવાનો છે.
મારે અભિપ્રાય એ છે કે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્રે બનાવટી છે, અને તે ધર. સેન ૨ જાનું દાનપત્ર બનાવી કાઢનારે જ તૈયાર કર્યા છે. કદાચ તેણે દ૬ ૨ જાનું એક ખરું દાનપત્ર જે ખેડા, નવસારી અને કાવીનાં દાનપત્રોની માફક અનિર્દિષ્ટ સંવતવાળું હશે તે મેળવ્યું હશે અને ત્યાર બાદ સંવત્ ન જાણુવાથી તેણે અનુમાન કરીને શક સંવત દાખલ કરી દીધો.
૧ ઈ. એ. . ૧૩ પા. ૭૦ પંડિત ભગવાનલાલ ઈંદ્રજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org