________________
दह २ जानां उमेटानां ताम्रपत्रो
ભાષાન્તર # સ્વસ્તિ ! ભરૂકચછના દ્વાર સમીપ નાંખેલા, વિજયી નિવાસસ્થાનમાંથી, સકલઘનપટલમાંથી બહાર આવેલા રજનીકરનાં કિરણોથી વિકસતાં કુમુદસમ ઉજજવળ યશના પ્રતાપવાળા, અનેક યુદ્ધમાં તેની વિમુખ આવી સંહાર થએલા શત્રુ સામનતેની પત્નીઓના પ્રભાવમાં રૂદનથી જેની ઉજવળ અસિને પ્રતાપ નિત્ય મોટેથી ગાજતે; દેવે, દ્વિજે અને ગુરૂના ચરણકમળને નમન કર્યાથી ઉદ્દઘણ, ઘતિવાળાં કિરગોવાળ કટી વજી મણિથી પ્રકાશને મુગટ જેના શિરપર રાજ હતાઃ સ્વર્ગમાં એકલા મિત્ર સમાન જેનો ( પુણ્ય) સંચય દીન, અનાથ, આતુર
આજાર ), અભ્યર્થ, ભિક્ષક અને દુઃખી જનોના વિભવ મનોરથ ઉદારતાથી પૂર્ણ કરવાથી નિત્ય વૃદ્ધિ પામત, મદભરેલી માનિની જનના, પ્રણામ અને મધુર વચનાથી પ્રણયકલહ શમાવવામાં નય અને વિવેક પ્રકાશિત કરતો અને જેણે કલિયુગનું ઘન તિમિર ઉજજવળ ગુણના પિંજરમાં નાંખ્યું હતું તે શ્રી દ૬ હતા.
હમલો કરતા અનેક મદવાળા માતાને નિર્ભય વિક્રમથી સંહારતા સિંહ માફક મદથી મત્ત થએલા શત્રુગજેના ગણનો સંહાર, તેની અસિના વિકમથી કર્યો હોવાથી યુવાનસંહ સમાન મદભરેલા પ્રતાપવાળે તેને શ્રી જયભટ નામે પુત્ર હતા. તે, (પશ્ચિમ અને પૂર્વ સાગરના ) બનને કિનારા પર ઉગતાં વનમાં ભ્રમણ કરતા ગજ માફક ( ખંભાતના અખાત)ના બને કિનારે ઉગતાં વનમાં ગમન (ચઢાઈ ) કરી અને ગજો નિરંતર અતિ મદ ઝરે છે તેમ નિરંકુશ દાનપ્રવાહને લીધે તે દિગ્ગજોના વિભ્રમ ગુસમૂહસંપન્ન હતું. કર્પરના કણ અથવા
ટકા જેવા ઉજજવળ યશના ચંદનલેપથી પિતાનું જ અંગ અને લક્ષમી શ્રી )નાં સમુન્નત પયોધર ( ઉંચે ચઢતાં વાદળાં)વાળા ગગન સમાન હતા તે વ્યાપી (ઢાંકી) દીધા.
તેને પુત્ર, જેણે દુષ્કાના પ્રતાપથી ઘટ એવું અને અખિલ જગમાં પ્રસરેલું ઘન તિમિર દૂર કર્યું હતું, જે ધર્મગુરૂ માટે અધિક સ્નેહસંપન્ન છે, અને જેણે પિતાના શુદ્ધ બધથી જીવલેકને પ્રકાશિત કર્યો છે, જે મહાન ગુર્જર વંશને પ્રકાશનાર થયા છે અને જેણે પંચમહાશબ્દ પ્રાપ્ત કર્યા છે તે મહારાજાધિરાજ શ્રી દદ્દ હતું,
તે સર્વ કુશળ હાલતમાં, સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને શાસન કરે છે –
તમને જાહેર થાઓ કે મેં મારાં માતાપિતા અને મારા, આ લેક તેમ જ પરલોકમાં, પુણ્યયશની વૃદ્ધિ માટે, કાન્યકુન્જમાં વસતા, ચતુર્વેદિ મધ્યેના, વિશિષ્ટ ગેત્રના, બહવૃચ સબ્રહ્મચારિ, ભટ્ટ મહીધરના પુત્ર, ભટ્ટ માધવને, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કમણીયશેડશત ભુકિતમાં આવેલું નિગુડ ગામ જેની સીમા –પૂર્વેવધૌરિગ્રામ, દક્ષિણે-ફલહવગામઃ પશ્ચિમે–વિહાણગામ, અને ઉત્તર-દહિથલિગામઃ આ સીમાવાળું આ ગામ ઉદ્વેગ તથા ઉપર કર સહિત, અન્ન અને સુવર્ણમાં આવક સહિત, વેઠના હકક સહિત, પૂર્વે કહેલાં દે અને દ્વિજનાં દાન વર્જ કરી, રાજપુરૂષના પ્રવેશ મુક્ત ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપગ માટે શક સંવત ૪૦૦ વૈશાખ પૂર્ણિમાને દિને, પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી ભક્તિથી આપ્યું છે. આથી તે બ્રહ્મદાયના નિયમ અનુસાર ( આ ગામની જમીનની ) ખેતી કરે, કે ખેતી કરાવે, ઉપભેગ કરે અથવા અન્યથી ઉપભેગ કરાવે અથવા અન્યને સેપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરે નહિ ... ... ... ... ... ... ... અને આ સેનાપતિ શ્રી ગલકના પુત્ર, (નૃપના) પદાનુજીવિન ભટ્ટ માધવથી લખાયું છે. આ મારા શ્રીમદ વીતરાગના પુત્ર શ્રી પ્રશાન્તરાગના સ્વહસ્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org